fbpx
ગુજરાત

અમદાવાદના અમૃત કળશ મહોત્સવમાં સીઆર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાસરદાર પટેલને ક્યારેય શ્રેય ન અપાયાનો કોંગ્રેસ પર આક્ષેપ મૂક્યો

ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલે એકતા દિવસ પહેલા વિપક્ષ પર મોટું નિશાન સાધ્યું છે. અમદાવાદમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમમાં સંબોધતા પાટીલે કહ્યું કે, પીએમ મોદી રાજકીય સ્ટંટ નથી કરતા. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને તેમની ટીકા થઈ હતી. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ પહેલા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વિપક્ષ પર જાેરદાર પ્રહારો કર્યા. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મેરી માટી, મેરા દેશ કાર્યક્રમમાં બોલતા પાટીલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારેય રાજકીય ‘સ્ટન્ટ્‌સ’ કરતા નથી.

તેમણે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ રૂપે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવવાનું નક્કી કર્યું હતું. પાટીલે આક્ષેપ કર્યો કે, ૧૮૨ મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનો ર્નિણય કરતી વખતે કેટલાક લોકોએ મોદીના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા. સરદાર પટેલ એકમાત્ર એવા નેતા હતા જેમને આઝાદી પછી દેશને એક કરવાનો શ્રેય આપવો જાેઈએ. તેમણે કહ્યું કે સરદાર પટેલને ક્યારેય તે પ્રશંસા મળી નથી, જેમના તેઓ હકદાર હતા. સાબરમતી રિવરફ્રન્ટ પર અમૃત કળશ મહોત્સવમાં પાર્ટીના કાર્યકર્તાઓને સીઆર પાટીલે સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યું કે મોદીએ પટેલના કદ જેટલું ઊંચું સ્મારક બનાવવાનું નક્કી કર્યું. તે સમયે કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે આ એક રાજકીય સ્ટંટ છે.

હું કહેવા માંગુ છું કે મોદી ક્યારેય રાજકીય સ્ટંટ કરતા નથી. પટેલને શ્રદ્ધાંજલિ રૂપે તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કર્યું. આજે આ સ્મારક આપણા દેશને ગૌરવ અપાવી રહ્યું છે. તે બતાવે છે કે માણસ શું કરવામાં સક્ષમ છે. તો બીજી તરફ, કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ૨૦૧૪માં મોદી વડાપ્રધાન બન્યા બાદ દેશની પ્રતિષ્ઠા દિન-પ્રતિદિન વધી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ હોય, આપણા નાગરિકોને યુદ્ધના ક્ષેત્રમાંથી પાછા લાવવાની વાત હોય કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાની વાત હોય, મોદીએ એવા ઘણા પગલાં લીધા છે કે નાગરિકોને તેમના નેતૃત્વ પર ગર્વ અનુભવાય છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના નિર્માણ બાદ પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. ગત વિધાનસભા ચૂંટણીમાં ઁસ્ નરેન્દ્ર મોદીએ પૂછ્યું હતું કે એવી કઈ બાબત છે કે કોંગ્રેસના નેતાઓ આજ સુધી સરદાર પટેલની પ્રતિમા જાેવા ગયા નથી. પીએમ મોદીએ પણ કહ્યું હતું કે સરદાર પટેલ કોંગ્રેસના નેતા હતા. પીએમ મોદીએ ત્યારબાદ સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમાથી થોડે દૂર ગાંધી પરિવારને ઘેરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી એક પરિવારની પૂજા કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/