અમદાવાદમાં ખૂદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિકો સાથે ભોજન લીધુ અને પીરસ્યું
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/11/File-02-Page-05-5-1140x620.jpg)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવાં ૧૫૫ ભોજન કેન્દ્રનો શુભારંભ કરાવ્યો છે જેને લઇ આજે અમદાવાદમાં ખૂદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિકો સાથે ભોજન લીધુ હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, હવેથી રાજ્યમાં ૨૭૩ કડિયાનાકાં પર શ્રમિકોને માત્ર ૫ રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી બલવંતસિંહ રાજપૂતે શ્રમિકોને ભોજન પીરસી ભાવથી જમાડ્યું અને પછી બંનેએ શ્રમિકો સાથે ભોજન પણ લીધું હતું.
Recent Comments