સુરતમાં ઓજસ્વી ફાઉન્ડેશન હવાલા કાંડમાં તપાસમાં વધુ એક મોટો ખુલાસોહવાલા કાંડમાં ૧૫૦ કરોડનો હવાલો મોકલ્યો હોવાનું સામે આવ્યુ, ૮૫૦૦ લોકોને ફૉરેક્સ ટ્રેડિંગમાં રૂપિયા રોકવાની લાલચ પણ આપી
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/11/File-02-Page-18-2-1140x620.jpg)
ઇડીના દરોડા દેશભરમાં ચાલી રહ્યાં છે અને ઠેકઠેકાણેથી ઇડીની તપાસમાં મોટા કૌભાંડ અને બેનામી હિસાબો જપ્ત કરવામાં આવી રહ્યાં છે. આ મુદ્દે હવે સુરતમાં પણ ઇડીએ બેનામી સંપતિ ધારકો પર કમર કસી છે. સુરતમાં ઓજસ્વી ફાઉન્ડેશન હવાલા કાંડમાં તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. ઇડી તપાસમાં ઓજસ્વી ફાઉન્ડેશન હવાલા કાંડમાં ૧૫૦ કરોડનો હવાલો મોકલ્યો હોવાનું સામે આવ્યુ છે, ગેરકાયદે ટ્રેડિંગ સાથે ફોરેક્સમાં ૮૫૦૦ લોકોને લાલચ અપાઇ છે. ઓજસ્વી ફાઉન્ડેશન હવાલા કાંડ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે.
ઇડીના સર્ચ ઓપરેશનમાં ૧૫૦ કરોડ હવાલાથી મોકલ્યાનો ખુલાસો થયો છે. અહીં ફૉરેક્સમાં ૮૫૦૦ લોકોને લાલચ અપાઈ હતી અને સાથે સાથે ગેરકાયદે ટ્રેડિંગ થતુ હોવાનું પણ મળ્યું હતુ. એન્ફૉસર્મેન્ટ ડિરેકટૉરેટ દ્વારા હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં ઇડીએ ઓજસ્વી ફાઉન્ડેશનથી નવા નવા મોટા ખુલાસો થઇ રહ્યાં છે. ફૉરેક્સ ટ્રેડિંગના ઓથા હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિ કરીને ૧૫૦ કરોડ હવાલા મારફતે વિદેશ મોકલાયા હોવાનો પણ ખુલાસો થયો છે. આ ઉપરાંત ૮૫૦૦ લોકોને ફૉરેક્સ ટ્રેડિંગમાં રૂપિયા રોકવાની લાલચ પણ આપી અને આ કેસમાં ઢગલાબંધ ડૉકયુમેન્ટ જપ્ત કરાયા છે. હવે ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા લોકોની ધરપકડ થશે.
Recent Comments