અમદાવાદના જમાલપુરમાં દિલ્હી-રાજસ્થાન ટ્રાન્સપોર્ટના કબાડી માર્કેટમાં આગકાપડ, ગમ, પ્લાય,લાકડું, ઓફિસ રેકર્ડ, ફર્નિચર, વાયરીંગ વગેરે બળીને ખાખ થઇ ગયા
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/11/File-02-Page-10-12-1140x620.jpg)
અમદાવાદના જમાલપુરમાં દિલ્હી-રાજસ્થાન ટ્રાન્સપોર્ટના કબાડી માર્કેટમાં આગ લાગી હોવાની એક ઘટના સામે આવી છે. આગ એટલી ભીષણ હતી કે તેને બુઝાવવા માટે ફાયર વિભાગના ૨૦ જેટલા વાહનો કામે લાગ્યા હતા. હાલ આગ તો બુઝાઇ ગઇ છે, જાે કે આગમાં કરોડો રુપિયાનું નુકસાન થયુ છે. અમદાવાદના જમાલપુરમાં આગ લાગવાની ઘટના બની હતી. દિલ્હી-રાજસ્થાન ટ્રાન્સપોર્ટમાં કબાડી માર્કેટમાં આગ લાગી હતી.આગમાં કાપડ, ગમ, પ્લાય,લાકડું, ઓફિસ રેકર્ડ, ફર્નિચર, વાયરીંગ વગેરે બળીને ખાખ થઇ ગયા છે. આગમાં અંદાજિત ૩.૫૦ કરોડથી વધુનો સમાન બળીને ખાખ થઇ ગયો છે. આગ એટલી ભીષણ હતી કે ફાયર વિભાગના ૨૦થી વધુ વાહન દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જાેતરાયા હતા. ગજરાજ ૧૦,ટેન્કર ૧,મિની ફાઇટર ૧,ઇૈંફ ૪ વાહનો આગ બુઝવવાની કામગીરીમાં કામે લાગ્યા હતા.ફાયરના કુલ ૫૫ ફાયર ફાયટરનો સ્ટાફ આગ પર કાબૂ મેળવવામાં લાગ્યો હતો. ભારે જહેમત બાદ અંતે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જાે કે આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી.
Recent Comments