fbpx
ગુજરાત

ગુજરાતમાં હવે વીજચોરી ઘટશે, સરકાર ૧.૬૫ કરોડ સ્માર્ટમીટર લગાવશેવિવિધ રાજ્યોમાં આશરે ૧૯.૭૯ કરોડ પ્રિ-પેઈડ કન્ઝ્‌યુમર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન

ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ (ઇડ્ઢજીજી) હેઠળ નાણાકીય વર્ષ (એફવાય) ૨૦૨૧-૨૨થી એફવાય ૨૦૨૫-૨૬ સુધીના પાંચના ગાળા દરમિયાન કુલ રૂ. ૧૬,૬૬૩ કરોડના ખર્ચને મંજૂરી આપી છે. ઇડ્ઢજીજીનો ઉદ્દેશ વિતરણ ક્ષેત્રમાં નાણાકીય શિસ્તને લાગુ કરવા ઉપરાંત ઉપભોક્તાઓને સતત વીજ પૂરવઠો પૂરો પાડવાનો છે.

ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ (ઇડ્ઢજીજી) હેઠળ નાણાકીય વર્ષ (એફવાય) ૨૦૨૧-૨૨થી એફવાય ૨૦૨૫-૨૬ સુધીના પાંચના ગાળા દરમિયાન કુલ રૂ. ૧૬,૬૬૩ કરોડના ખર્ચને મંજૂરી આપી છે. ઇડ્ઢજીજીનો ઉદ્દેશ વિતરણ ક્ષેત્રમાં નાણાકીય શિસ્તને લાગુ કરવા ઉપરાંત ઉપભોક્તાઓને સતત વીજ પૂરવઠો પૂરો પાડવાનો છે. મંત્રીના નિવેદન અનુસાર, વિવિધ રાજ્યોમાં આશરે ૧૯.૭૯ કરોડ પ્રિ-પેઈડ કન્ઝ્‌યુમર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન છે,

જેમાંથી ૧.૬૫ કરોડ સ્માર્ટ મીટર્સ ગુજરાતમાં લગાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગુજરાતમાં કુલ ૬૬.૦૯ લાખ સ્માર્ટ મીટર, જ્યારે બીજા તબક્કામાં વધુ ૧.૦૫ કરોડ મીટર લગાવવામાં આવશે. પરિમલ નથવાણીએ વર્ષ ૨૦૧૮થી અત્યારસુધીમાં વીજ મંત્રાલયે શરૂ કરેલી યોજનાઓ વિશે જાણવા માગતા હતા. સાથે તેમણે આ યોજનાઓ હેઠળ ફાળવાયેલા અને તેના અમલ માટે ઉપયોગ કરાયેલા ફંડ્‌સની વિગતો પણ માંગી હતી.

સરકારે આપેલા જવાબ અનુસાર રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો ઇડ્ઢજીજી હેઠળ આશરે ૫૨ લાખ ડિસ્ટ્રીબ્યૂશન ટ્રાન્સફોર્મર (ડીટી) સ્માર્ટ મીટર્સ અને ૧.૮૮ લાખ ફીડર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન ધરાવે છે, જેમાંથી ૩ લાખ જેટલા ડીટી સ્માર્ટ મીટર્સ અને ૫,૨૨૯ ફીડર સ્માર્ટ મીટર્સ એકલા ગુજરાતમાં જ લગાવાશે. ફીડર અને ડીટી સ્માર્ટ મીટરથી એનર્જી એકાઉન્ટીંગ ઓટોમેટિક અને સચોટ બનતાં હાઈ લોસ એરિયા શોધવામાં મદદ મળશે. આજદિન સુધીમાં, લોસ રિડક્શન (એલઆર) કામકાજ માટે રૂ. ૧,૨૧,૭૭૮ કરોડના કુલ ખર્ચ ધરાવતા ડીપીઆરને મંજૂર કરાઈ ચૂક્યા છે

અને ભારતમાં સ્માર્ટ મીટરિંગના કામો માટે રૂ. ૧,૩૦,૪૭૪ કરોડ મંજૂર કરાયા છે. જવાબમાં એ પણ ઉલ્લેખ કરાયો હતો કે, ઇડ્ઢજીજી હેઠળ મંજૂર કરાયેલા કુલ ખર્ચમાંથી, રૂ. ૫,૮૯૭.૨૨ કરોડને સ્કીમ ગાઈડલાઈન્સ મુજબ સ્કીમ લોંચ કરાઈ ત્યારથી માંડીને ૦૬-૧૨-૨૦૨૩ સુધીમાં જારી કરી દેવાયા છે, જેમાંથી રૂ. ૩૦૮ કરોડ છેલ્લા બે વર્ષ અને વર્તમાન વર્ષ દરમિયાન ગુજરાત માટે જારી કરવામાં આવ્યા છે. ઇડ્ઢજીજી સ્કીમ એફવાય ૨૦૨૫-૨૬ સુધી જારી રહેશે. આ સ્કીમનો ઉદ્દેશ છ્‌શ્ઝ્ર ખોટને ઘટાડીને ૧૨-૧૫%ના ભારતવ્યાપી સ્તરે પહોંચાડવાનો તેમજ ૨૦૨૪-૨૫ સુધીમાં છઝ્રજી-છઇઇ તફાવતને નાબૂદ કરવાનો છે.

આનાથી ડિસ્કોમમાં નાણાકીય સદ્ધરતા આવશે અને આખા વિજ ક્ષેત્રમાં સુધારા જાેવા મળશે. આ સુધારાત્મક પગલાંને ઇડ્ઢજીજી હેઠળ આ મંત્રાલયની અન્ય વિવિધ પહેલો સાથે લેવાના પરિણામે ડિસ્કોમની છ્‌શ્ઝ્ર ખોટ જે એફવાય ૨૦૨૧માં ૨૨.૩૨% હતી તે એફવાય ૨૦૨૨માં ઘટીને ૧૬.૪૪%ના સ્તરે પહોંચી ગઈ છે, એમ જવાબમાં જણવવામાં આવ્યું હતું. આ ઉપરાંત છ્‌શ્ઝ્ર ખોટમાં ઘટાડાના પરિણામે છઝ્રજી અને છઇઇ વચ્ચેનો તફાવત પણ ઘટ્યો છે જે એફવાય ૨૦૨૧ના રૂ. ૦.૬૯/ાઉરના આંકેથી ઘટીને એફવાય ૨૦૨૨માં રૂ. ૦.૧૫/ાઉરના સ્તરે પહોંચી ગયો છે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/