ગોંડલ તાલુકાના કંટોલિયા ગામથી બાંદ્રા ગામે જતી ST બસનો રૂટ બંધ કરાતા ભારે રોષગ્રામજનોએ બસ શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/12/File-02-Page-15-3-1140x620.jpg)
રાજકોટના ગોંડલ તાલુકાના કંટોલિયા ગામથી બાંદ્રા ગામે જતી જી્ બસનો રૂટ બંધ કરાતા અનેક વિદ્યાર્થીઓના ભાવિ પર જાેખમ ઉભુ થયુ છે.કંટોલિયાથી બાંદ્રાની સ્કૂલમાં દરરોજ ૩૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતા હોય છે.પરંતુ ગોંડલના પાંજરાપોળનો પુલ જાેખમી હોવાથી ભારે વાહનો માટે બંધ કરાતા અહીં આવતી જી્ બસ પણ બંધ થઇ ગઇ છે. જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સ્કૂલે જઇ શકતા નથી. બાળકો નાછૂટકે ખાનગી વાહનો અથવા તો સાયકલ પર સ્કૂલે જવા મજબૂર બન્યા છે.તો એસ.ટી. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પાસના રૂપિયા લેવામાં આવ્યા છે. છતાં અન્ય રૂટની બસોમાં વિદ્યાર્થીઓને બેસવા દેવામાં આવતા નથી. આ મુદ્દે સ્થાનિકોએ જી્ તંત્રને અનેક રજૂઆતો કરી છે છતાં બસની સુવિધા હજુ શરૂ થઇ નથી.ત્યારે જાે બસ શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.
Recent Comments