fbpx
ગુજરાત

 ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલના આહવાનને મળી રહેલ અવિરત પ્રતિસાદ

·          આપના ફાઉન્ડર મેમ્બર શ્રી આર. સી. પટેલ, ભાજપ એબીવીપીના પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય શ્રી કુનાલસિંઘ સુરી સહિત જેડીયુ, સમાજવાદી પાર્ટી, એનસીપીમાંથી અનેક પૂર્વ હોદ્દેદારકાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા

·          કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહી છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો આ હોદ્દેદારકાર્યકરોનો નિર્ણય

·          ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલના આહવાનને મળી રહેલ અવિરત પ્રતિસાદ

ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને અવિરત પ્રતિસાદ મળી રહ્યો છે. વિવિધ પક્ષોમાંથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, તેઓનો શ્રી શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો.

આજે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ભાજપ, આપ, જેડીયુ, સમાજવાદી પાર્ટી, એનસીપીમાંથી અમદાવાદ શહેર, ગાંધીનગર જિલ્લા, ભુજ-કચ્છ, સુરત, વડોદરા ખાતેથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. આપના ફાઉન્ડર મેમ્બર શ્રી આર. સી. પટેલ, ભાજપ એબીવીપીના પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય શ્રી કુનાલસિંઘ સુરી, ગાંધીનગર શહેર-જિલ્લાના આપના મહામંત્રી શ્રી અનંત યાજ્ઞિક, ગાંધીનગર શહેર-જિલ્લાના કરણી સેનાના પૂર્વ પ્રમુખ શ્રી વિજયસિંહ સોલંકી, રાષ્ટ્રીય મજદુર પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ડો. શૈલેશભાઈ જોષી, રાષ્ટ્રીય મજદુર પાર્ટીના પૂર્વ મહિલા પ્રમુખ શ્રી દક્ષાબેન બારોટ સહિત સમાજવાદી પાર્ટી, એનસીપીના પૂર્વ હોદ્દેદાર-કાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ ગ્રહણ કરેલ.

ગુજરાતમાં ભાજપનું કુશાસન ગુજરાતના લોકો માટે ત્રાસદાયક બની ગયું છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે અસલી બિયારણ-યુરિયા ખાતર પૂરતું નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, આરોગ્ય સેવાઓ મોંઘી બની છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે ત્યારે ગુજરાત અને ગુજરાતીઓના હિતમાં સત્તા પરિવર્તન અત્યંત જરૂરી બન્યું છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય આ હોદ્દેદાર-કાર્યકર્તાઓએ કરેલ છે.

આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષમાં જોડાનાર નેતાઓના આવકાર કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાથે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, અમદાવાદ શહેર પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, પ્રદેશ હોદ્દેદારશ્રી બળદેવભાઈ લુણી, પ્રવક્તાશ્રી પાર્થિવરાજસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/