fbpx
ગુજરાત

આપણે એટલી મોટી જીત હાંસલ કરવાની છે કે વિપક્ષી દળો આપણી સામે ઉભા થતા પહેલા ૧૦ વાર વિચારે અમિત શાહ

દિલ્હીમાં ભાજપની બે દિવસીય બેઠક શનિવારે સાંજે સમાપ્ત થઈ. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપની નજર ‘વિશાળ’ જીત પર છે અને તેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગઠનના મુખ્ય નેતાઓને પાર્ટીની વોટ ટકાવારી ૧૦ ટકા વધારવા માટે મેહનત કરવા કહ્યું. સૂત્રોએ જણાવ્યું કે શનિવારે બે દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકના સમાપન દિવસે ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓ અને પ્રદેશ પ્રમુખોને સંબોધિત કરતી વખતે ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ભાજપનું પ્રદર્શન એવું હોવું જાેઈએ કે વિપક્ષ ‘સ્તબ્ધ’ થઈ જાય. વડાપ્રધાન મોદીએ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણીમાં ૨૦૧૯ની ચૂંટણીની સરખામણીમાં ભાજપની મત ટકાવારીમાં ૧૦ ટકા વધારો કરવા પણ આહ્વાન કર્યું હતું. શુક્રવારે મીટિંગ ના પહેલા દિવસે જ પીએમ મોદી હાજર રહ્યા હતા, જ્યારે અમિત શાહે શનિવારે મીટિંગ ના બીજા દિવસે પાર્ટીના અધિકારીઓને સંબોધિત કર્યા હતા. નવા મતદારોને આકર્ષવા માટે ભાજપ દેશભરમાં અભિયાન ચલાવશે. આ ઉપરાંત અન્ય તમામ મતદારોને જાેડવા માટે વિધાનસભા સ્તરે કોન્ફરન્સ નું આયોજન પણ કરવામાં આવશે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા દેશભરના યુવાનોને જાેડવા માટે ૫૦૦૦ નવા મતદાર પરિષદોનું આયોજન કરશે મ્ત્નરૂસ્ આ સંમેલનો ૨૪ જાન્યુઆરીથી શરૂ કરશે ભાજપ જનપ્રતિનિધિ સંમેલનનું પણ આયોજન કરશે.

ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં ગૃહમંત્રીએ કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં સખત મહેનતને ઉજાગર કરવી પડશે. ચૂંટણી બહુ મોટા માર્જિનથી જીતવી પડશે. આપણે એટલી મોટી જીત હાંસલ કરવાની છે કે વિપક્ષી દળો આપણી સામે ઉભા થતા પહેલા ૧૦ વાર વિચારે. સંગઠનને વધુ મજબુત કરવા માટે પાર્ટીને બૂથ લેવલ સુધી વધુ મજબૂત કરવાની રહેશે, ‘મેં પોતે પણ બૂથ લેવલના કાર્યકર તરીકે ઘણું કામ કર્યું છે’. આ સિવાય રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં રામ મંદિર ઉદ્‌ઘાટન સમારોહને વધુ મોટો બનાવવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો. રામ મંદિરના ઉદ્‌ઘાટન પહેલા ભાજપના કાર્યકરો દેશને રામમય બનાવવાનો પ્રયાસ કરશે. ગૃહ મંત્રી અમિત શાહે ગામ-ગામ, ઘરે-ઘરે જવાનું કહ્યું, ૧ જાન્યુઆરીથી ભાજપના કાર્યકરો ગામડે-ગામડે જશે. અક્ષત વહેચશે, મંદિરોમાં કાર્યક્રમોનું આયોજન કરશે, મંદિરોમાં દીવા પ્રગટાવવા જેવા કાર્યક્રમોમાં જાેડાશે. સૂત્રોએ જણાવ્યું કે મોદીની જેમ શાહે પણ ચૂંટણીમાં સંગઠનના મહત્વને રેખાંકિત કર્યું હતું અને કહ્યું હતું કે પાર્ટીને એવી ‘વિશાળ’ જીત મળવી જાેઈએ કે વિપક્ષોએ તેને પડકારતા પહેલા બે વાર વિચારવું પડે. વડાપ્રધાને મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબો સુધી પહોંચવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, પીએમ એ મહિલા, યુવા, ખેડૂત અને ગરીબો ને દેશની સૌથી મોટી જાતિ ગણાવી જે તેમણે ઘણીવાર અન્ય કાર્યક્રમો માં દેશની ચાર સૌથી મોટી ‘જાતિ’ તરીકે વર્ણવી ચૂક્યા છે.

અમિત શાહે પાર્ટીના નેતાઓને એવા લોકોને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ માં વધુમાં વધુ સંખ્યામાં સામેલ કરવા કહ્યું, જેનો ઉદ્દેશ્ય તેમની સરકારની મોટી કલ્યાણકારી યોજનાઓને ૧૦૦ ટકા પૂર્ણ કરવાનો છે. સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીના ટોચના નેતૃત્વએ જીતવા માટે સીટ નંબરનું કોઈ ચોક્કસ લક્ષ્ય નક્કી કર્યું નથી, પરંતુ ૨૦૧૯ના પ્રદર્શન કરતાં મોટી જીતની ખાતરી કરવા પર ભાર મૂક્યો હતો. અને ૨૦૧૯ ની મત ની ટકાવારી કરતા ૧૦ ટકા વધુ મત મેળવવા એટલે કે ૫૦ ટકા મત મેળવી હેટ્રીક લગાવવાનો ર્નિણય લીધો છે. ભાજપે ૨૦૧૯ની ચૂંટણીમાં લોકસભાના ૫૪૩ સભ્યોમાંથી ૩૦૩ બેઠકો જીતી હતી. શાહે વિપક્ષ પર જૂઠાણા નો આશરો લેવા અને નકલી સમાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકો મોદીને ચૂંટશે અને તેમને કેન્દ્રમાં સતત ત્રીજી ટર્મ આપશે. બીજેપી ની બે દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક માં બીજેપી નૈઋતવ જે પી નડ્ડા અને પીએમ મોદી એ તમામ ને આદેશ પણ આપ્યો કે, અયોધ્યા ફક્ત એજ વ્યક્તિ જશે જેને આમંત્રણ આપવામાં આવશે.

બાકી તમામ સાંસદ,મંત્રી અને નેતા એ પોત પોતાના વિસ્તાર માં મંદિર માં હાજર રહી પૂજા કરશે. તેની જ સાથે રામ મંદિર મામલે બેઠક માં કહેવાયું કે રામ મંદિર નિર્માણ ને લઈ પાર્ટી એ જે પ્રયાસો કર્યા છે તેની જાણકારી જન જન સુધી પોંચાડવામાં આવે. સરકારે ભવ્ય રામ મંદિર માટે જે પણ કાર્ય કર્યા છે તેની જાણકારી પોત પોતાના ક્ષેત્રમાં એક બુકલેટ બનાવી તેને જન જન સુધી પહોચાડે તે નિર્દેશ પણ આપવામાં આવ્યા. તેના સિવાય વિપક્ષ દ્વારા જે રામ મંદિર નિર્માણ ને રોકવા માટે જે પણ કંઈ કરવામાં આવ્યું તે પણ જનતા ની વચ્ચે જઈ તેમને જણાવવાના નિર્દેશ આપવામાં આવ્યા. તેના સિવાય પીએમ મોદી દ્વારા નક્કી કરાયેલ ૫૦% વોટ શેર મેળવવાની રણનીતિ ને સાબિત કરવા માટે ૧૫ જાન્યુઆરી બાદ દેશભરમાં ત્રણ અલગ અલગ ક્લસ્ટરમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત ના તમામ મોટા નેતાઓની જાહેર સભા અને રોડ શો યોજવાની તૈયારી પણ બતાવવામાં આવી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/