બીલીમોરાથી ૩૦ યુવાનોનો એક સંઘ દોડતા અયોધ્યા જવા નિકળ્યો
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/01/File-02-Page-14-2-1140x506.jpg)
ગ્રુપમાં ૨૬ યુવકો અને ૪ યુવતીઓ, દાહોદ ખાતે સ્વાગત કરવામાં આવ્યું દાહોદ,ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આ અવસરના સહભાગી થવા માટે ભક્તોએ અયોધ્યાની વાટ પકડી છે. બીલીમોરાથી ૩૦ યુવાનોનો એક સંઘ દોડતા અયોધ્યા જવા નિકળ્યો છે. જે દાહોદ ખાતે આવતા આ યુવા સંઘનું સ્વાગત કરવામાં આવ્યું છે.
બીલીમોરાથી ૩૦ યુવાનોનું ગ્રુપ ૧૪૩૦ કિમી દોડીને અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચશે. આ યુવાનો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક પર્વમાં શામેલ થશે. ૩૦ યુવાનોના આ ગ્રુપમાં ૨૬ યુવકો અને ૪ યુવતીઓ સામેલ છે. જેમનું દાહોદ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
Recent Comments