હરણી બોટ દુર્ઘટનાના કેસમાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/01/download-2024-01-24T191507.939.jpg)
વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના કેસમાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કોટિયા મેનજમેન્ટના મુખ્ય સંચાલક ગોપાલ શાહની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમબ્રાન્ચે રાયપુરથી ગોપાલ શાહને ઝડપ્યો છે. તેમજ મોડી રાત્રે ગોપાલ શાહને વડોદરા લવાશે. તેમજ કોટિયા મેનજમેન્ટ બોટ સવારીનું સંચાલન કરાતું હતી. તેમજ ગોપાલ શાહ પૂર્વ ટાઉન પ્લાનર પણ હતો.
તમને જણાવી દઈએ, ગઈકાલે વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ ગયા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી જતા ૧૨ બાળકો અને ૨ શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતી. મળતી માહિતી અનુસાર બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા હોવાથી આ દુર્ઘટના બની હતી. તેમજ લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.
Recent Comments