પ્રધાનમંત્રીએ પરીક્ષા પે ચર્ચા ૨૦૨૪ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/01/File-02-Page-Ex-06-1140x620.jpg)
“અમારા બાળકોમાં સ્થિતિસ્થાપકતા પેદા કરવી અને દબાણનો સામનો કરવામાં તેમને મદદ કરવી મહત્વપૂર્ણ છે”
“વિદ્યાર્થીઓના પડકારોને વાલીઓ તેમજ શિક્ષકોએ સામૂહિક રીતે હાથ ધરવા જાેઈએ”
“તંદુરસ્ત સ્પર્ધા વિદ્યાર્થીઓના વિકાસ માટે શુભ સંકેત આપે છે”
“શિક્ષકો નોકરીની ભૂમિકામાં નથી, પરંતુ તેઓ વિદ્યાર્થીઓના જીવનને તૈયાર કરવાની જવાબદારી ઉપાડે છે”
“માતાપિતાએ તેમના વિઝિટિંગ કાર્ડ તરીકે તેમના બાળકોના રિપોર્ટ કાર્ડ બનાવવા જાેઈએ નહીં”
“વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનું જાેડાણ સિલેબસ અને કરિક્યુલમથી આગળ હોવું જાેઈએ”
“તમારાં બાળકો વચ્ચેની હરીફાઈ અને દુશ્મનીનાં બીજ કદી રોપશો નહીં. ઉલટાનું, ભાઈ-બહેન એકબીજા માટે પ્રેરણારૂપ હોવા જાેઈએ”
“તમે જે કામ કરો છો અને અભ્યાસ કરો છો તેમાં પ્રતિબદ્ધ અને નિર્ણાયક બનવાનો પ્રયત્ન કરો”
“શક્ય હોય ત્યાં સુધી જવાબો લખવાની પ્રેક્ટિસ કરો. જાે તમારી પાસે તે પ્રેક્ટિસ હશે, તો પરીક્ષા ખંડનો મોટાભાગનો તણાવ દૂર થઈ જશે”
“ટેક્નોલૉજી બોજારૂપ ન બનવી જાેઈએ. તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરોશ્ૂર્ે
“યોગ્ય સમય જેવું કશું જ હોતું નથી, તેથી તેની રાહ ન જુઓ. પડકારો આવતા જ રહેશે, અને તમારે તે પડકારોને પડકારવા જ જાેઇએ”
“જાે લાખો પડકારો છે, તો અબજાે ઉકેલો પણ છે”
“નિષ્ફળતાઓથી નિરાશા ન થવી જાેઈએ. દરેક ભૂલમાં એક નવી શીખ છે”
“હું જેમ મારા દેશવાસીઓની ક્ષમતાઓમાં વધારો કરું છું, તેમ પડકારોને પડકારવાની મારી ક્ષમતામાં વધારો થાય છે”
“યોગ્ય શાસન માટે પણ, તળિયેથી ટોચ સુધી સંપૂર્ણ માહિતીની સિસ્ટમ હોવી જાેઈએ અને ઉપરથી નીચે સુધી સંપૂર્ણ માર્ગદર્શનની સિસ્ટમ હોવી જાેઈએ”
“મેં મારા જીવનમાં નિરાશાના તમામ દરવાજા અને બારીઓ બંધ કરી દીધા છે”
“જ્યારે સ્વાર્થી હેતુ ન હોય, ત્યારે ર્નિણયમાં ક્યારેય મૂંઝવણ હોતી નથી”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની સાતમી એડિશન દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે આદાનપ્રદાન કર્યું હતું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત કલા અને હસ્તકલા પ્રદર્શનની વોકથ્રુ પણ લીધી હતી. પીપીસી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદ્યાર્થીઓ, માતાપિતા, શિક્ષકો અને સમાજને એક સાથે લાવવાના પ્રયત્નોથી પ્રેરિત એક આંદોલન છે, જેમાં દરેક બાળકના અનન્ય વ્યક્તિત્વની ઉજવણી કરવામાં આવે છે, પ્રોત્સાહિત કરવામાં આવે છે અને પોતાને સંપૂર્ણપણે વ્યક્ત કરવાની મંજૂરી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને સંબોધતા પ્રધાનમંત્રીએ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સર્જનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે વિવિધ આકારોમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેવી આકાંક્ષાઓ અને વિભાવનાઓ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રદર્શનો પ્રતિબિંબિત કરે છે કે નવી પેઢીઓ વિવિધ વિષયો વિશે શું વિચારે છે અને આ મુદ્દાઓ માટે તેમની પાસે કયા ઉકેલો છે. પોતાની વાતચીતની શરૂઆત કરતાં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને સ્થળ એટલે કે ભારત મંડપમનું મહત્ત્વ સમજાવ્યું હતું અને તેમને જી-૨૦ સમિટ વિશે જણાવ્યું હતું, જેમાં વિશ્વના તમામ મુખ્ય નેતાઓ એકઠા થયા હતા અને વિશ્વના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી.
બાહ્ય દબાણ અને તણાવ
ઓમાનની એક ખાનગી સીબીએસઈ સ્કૂલના ડાનિયા શબુ અન
Recent Comments