fbpx
ગુજરાત

સરકારી કોલેજો ધીમેધીમે બંધ થાય એવું એક વ્યવસ્થિત આયોજનપૂર્વકનું ષડયંત્ર ભાજપ સરકાર દ્વારા ચાલી રહ્યું છે. : અમિત ચાવડા.

  • ૩૦ વર્ષથી શાસન કરતી ભાજપની સરકાર અને ૧૦ વર્ષથી ડબલ એન્જીનની સરકાર હોવા છતાં આજે ગુજરાતમાં ૩૩ જીલ્લાઓ અને ૮ મહાનગરપાલિકાઓમાંથી ફક્ત ૧૬ જિલ્લાઓમાં સરકારી એન્જીનીયરીંગ કોલેજો કાર્યરત છે.
  • સરકારી કોલેજો ધીમેધીમે બંધ થાય એવું એક વ્યવસ્થિત આયોજનપૂર્વકનું ષડયંત્ર ભાજપ સરકાર દ્વારા ચાલી રહ્યું છે. : અમિત ચાવડા.
  • સરકારની નીતિ જ એવી છે કે સરકારી એન્જીનીયરીંગ કોલેજ તો નહી ખોલવાની પણ જે ચાલુ છે એમાં પણ પુરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહિ આપવાનું, પુરતો સ્ટાફ નહિ ભરવાનો એના કારણે ધીરેધીરે કોલેજમાંથી વિદ્યાર્થીઓ પલાયન થઈને ખાનગી કોલેજોમાં જાય. : અમિત ચાવડા

        

  ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર દિવસે-દિવસે કથળતું જાય છે. કરોડો રૂપિયા શિક્ષણ પાછળ બજેટ ફાળવ્યા પછી પણ આજે ખાનગી શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓની ઘટ છે, ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું, માધ્યમિક શાળાઓમાં પણ મોટા પ્રમાણમાં મહેકમની શિક્ષકોની ઘટ છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ગુણવત્તાયુક્ત પૂરું પડવાની સરકારની જવાબદારી છે તેમ છતાં ફાળવવામાં આવતા બજેટમાંથી  શિક્ષણની સંસ્થાઓની સાર-સંભાળ અને મહેકમ ભરાય એના માટે ખર્ચ કરવાના બદલે સરકારની વાહવાહી અને જાહેરાતોમાં વાપરાય છે.

          માન. ધારાસભ્યશ્રી અરવિંદભાઈ લાડાણી દ્વારા ગુજરાતમાં કેટલી સરકારી એન્જીનીયરીંગ કોલેજો કાર્યરત છે ? એવા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબ મુજબ રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ૧૬ સરકારી ઈજનેરી કોલેજો છે. ગુજરાતના ૩૩ જીલ્લાઓ અને ૮ મહાનગરપાલિકાઓમાંથી ફક્ત ૧૬ જિલ્લાઓમાં સરકારી એન્જીનીયરીંગ કોલેજો કાર્યરત છે. આજે ૩૦ વર્ષથી શાસન કરતી ભાજપની સરકાર અને ૧૦ વર્ષથી ડબલ એન્જીનની સરકાર હોવા છતાં ગુજરાતમાં અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર સાબરકાંઠા વડોદરા, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, મહીસાગર, મહેસાણા, નર્મદા, ડાંગ, નવસારી અને તાપી જિલ્લાઓમાં એકપણ સરકારી એન્જીનીયરીંગ કોલેજ નથી. તેના કારણે ગરીબ અને માધ્યમ વર્ગના બાળકોને એન્જીનીયર થવું હોય તો પણ ખાનગી કોલેજોમાં ઉંચી ફી ચૂકવીને ભણવાની ફરજ પડે છે. આ સરકારની નીતિ જ એવી છે કે, સરકારી એન્જીનીયરીંગ કોલેજ તો નહી ખોલવાની પણ જે કોલેજો કોંગ્રેસના શાસનમાં ખુલી છે તેમાં પુરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહિ આપવાનું, પુરતો સ્ટાફ નહિ ભરવાનોપ તેના કારણે ધીરેધીરે કોલેજમાંથી વિદ્યાર્થીઓ પલાયન થઈને ખાનગી કોલેજોમાં જાય એવું ખાનગીકરણને પ્રોત્સાહન આપવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ભાજપ સરકારમાં ચાલી રહ્યું છે. રાજ્યમાં સરકારી ઇજનેરીની ૧૬ કોલેજો જે ચાલુ છે, વર્ગ-૧નું ૫૩૪ મંજુર મહેકમની સામે ૩૧૬ ખાલી જગ્યાઓ છે એટલે લગભગ ૬૦% જગ્યાઓ ખાલી છે. વર્ગ-૨ની મંજુર જગ્યાઓ ૧,૪૬૭ની સામે ૧૯૩ જગ્યાઓ ખાલી છે એટલે ૧૪% જગ્યાઓ ખાલી છે. વર્ગ-૩ની મંજુર જગ્યાઓ ૪૭૫ની સામે ૩૦૦ જગ્યાઓ ખાલી છે એટલે ૫૫% જગ્યાઓ ખાલી છે. વર્ગ-૪ની મંજુર જગ્યાઓ ૨૬૦ની સામે ૨૦૧ જગ્યાઓ ખાલી છે એટલે ૭૭% જેટલી જગ્યાઓ ખાલી છે.

          એક બાજુ કોલેજો ખોલતા નથી, કોંગ્રેસની સરકારોએ ખોલેલી સરકારી એન્જીનીયરીંગ કોલેજો વારસામાં મળેલ છે તે કોલેજોમાં ભરતી પણ કરવામાં આવતી નથી. સરકાર આવો જવાબ આપે છે કે, બીજી બાજુ ભરતી કેલેન્ડર બનાવ્યું છે, દર વર્ષે ભરતી કરીએ છીએ. વિધાનસભાના રેકોર્ડમાં ગયા વર્ષના પ્રશ્નોતરીના જવાબ પણ બતાવ્યા કે ગયા વર્ષે એટલે કે ૨૦૨૨માં જેટલી ખાલી જગ્યાઓ હતી એના કરતા ૨૦૨૩માં વધી છે, જો ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરી હોય તો ઘટવી જોઈએ એના કરતા વધી છે. એટલે સ્પષ્ટ છે કે આ સરકાર સરકારી કોલેજો ખોલતી નથી કે સરકારી કોલેજોમાં પુરતો સ્ટાફ આપતી નથી. તેના કારણે ધીમેધીમે વિદ્યાર્થીઓ માનીતા, મળતિયા, નફાખોર કરતા લોકોની ખાનગી કોલેજોમાં જાય અને સરકારી કોલેજો ધીમેધીમે બંધ થાય એવું એક વ્યવસ્થિત આયોજનપૂર્વકનું ષડયંત્ર ભાજપ સરકાર દ્વારા ચાલી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/