fbpx
ગુજરાત

હીરાઉદ્યોગમાં મંદી, ૧૦ મહિનામાં સુરત શહેર મા ૪૪ રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધા

કેન્દ્ર અને રાજ્ય સરકાર, વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર અને દેશ-વિદેશ તમામ ભલે કહે કે દેશ વિકાસ કરી રહ્યો છે પણ, છેલ્લા ઘણા સમયથી હીરાઉદ્યોગ મા મંદી ચાલી રહી છે, જેની ગંભીર અસર હીરાઉદ્યોગના રત્નકલાકારો ઉપર પડી રહી છે.કોરોના વાયરસ ના લોકડાઉન તથા રશિયા-યુક્રેન યુદ્ધ તથા જી-૭ દેશો એ લગાવેલા પ્રતિબંધ તથા ઇઝરાયેલ યુદ્ધ તથા વૈશ્વિક મંદીની અસર હીરાઉધોગ ઉપર પડી રહી છે. જેના કારણે ઉદ્યોગકારો દિવાળી પહેલા ના પ્રોડક્શન કાપ ની નીતિ અપનાવી રહ્યા છે જેની સીધી અસર કારીગરો ના કામ ઉપર પડી છે અને આર્થિકરીતે પાયમાલ થઈ ગયા છે. હીરાઉદ્યોગ મા મંદીના કારણે મોટી સંખ્યામા રત્નકલાકારો બેરોજગાર બન્યા છે.

જેના કારણે તારીખઃ-૧૯/૦૪/૨૦૨૩ થી તારીખઃ-૦૧/૦૩/૨૦૨૪ સુધી ના ૧૦ મહીના ના ટૂંકાગાળા મા અંદાજે સુરત શહેર મા ૪૪ રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધા છે અને ગુનાખોરીનો ભોગ બને છે તથા ઘણા કિસ્સામા રત્નકલાકારો ગુનાખોરી ના રવાડે ચડી રહ્યા છે અને કંટાળી ને મોટી સંખ્યામા રત્નકલાકારો હીરાઉદ્યોગ ને તિલાંજલિ આપી રહ્યા છે. હીરાઉદ્યોગમા રત્નકલાકારો ની પાયમાલી બરબાદી વ્યથા અને વેદના માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચાડવા મા આવી હતી.

તેમના નિર્દેશ મુજબ ચીફ સેક્રેટરી તથા શ્રમ રોજગાર મંત્રી ને બે વખત રૂબરૂ રજુઆત કરવા છતાં રત્નકલાકારોની સમસ્યા નુ કોઈ સમાધાન સરકાર દ્વારા કરવા આવ્યું નથી.હીરાઉદ્યોગ ના તમામ સંગઠનો સાથે સંકલન કરી તેમને સાથે રાખી તારીખઃ-૦૬/૦૨/૨૦૨૪ ના રોજ શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહજી રાજપુત ને રજૂઆત કરવામા આવી હતી. હીરાઉદ્યોગના તમામ સંગઠનો ઉધોગકારો એવુ ઈચ્છે છે કે આવા કપરા સમય માં રત્નકલાકારો ને સરકાર મદદ કરે પરંતુ સરકાર ને રત્નકલાકારો ને મદદ કરવામા શું વિઘ્ન નડે છે તે જાણી શકાતું નથી.

આપઘાત ના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સરકાર દારૂડિયા મરી જાય તેમને મદદ કરે છે પરંતુ આપઘાત કરતા કારીગરો ના પરીવાર ને સરકાર કોઈ મદદ કરતી નથી અને તેમના પરિવારો ના આંસુ લૂછવા પણ કોઈ જતુ નથી એ ખુબ દુઃખદ બાબત છે. ગુજરાત સરકાર રોકાણ લાવવા વાયબ્રન્ટ ના તાયફા કરે છે ત્યારે વર્ષો થી લાખો રત્નકલાકારો ને રોજગારી આપતુ અને સરકાર ને કરોડો ડોલર નુ વિદેશી હૂંડયામણ રળી આપતુ આર્ત્મનિભર હીરાઉદ્યોગના રત્નકલાકારો ને સરકાર દ્વારા કોઈ મદદ કરવામા આવતી નથી જાે આવી જ પરિસ્થિત રહી તો આવનારા સમયમા સરકાર અને ઉધોગકારો એ કારીગરો ગોતવા જવા પડશે કેમ કે હીરાઉદ્યોગ મા હવે નવા રત્નકલાકારો આવતા જ નથી. હીરાઉદ્યોગના રત્નકલાકારોની સમજણને સરકાર નબળાઈ સમજતી હોઈ એવુ લાગે છે.પરંતુ જાે રત્ન કલાકારો આક્રોશિત થઈ રોડ ઉપર આવશે તો તકલીફ થશે અને અમે રત્નકલાકારોને આંદોલનના અખાડામાં ઉતારવા નથી માંગતા પણ જાે રત્નકલાકારો ની વાજબી માંગણી સરકાર પૂરી નહી કરે તો તેના ગંભીર પરિણામો આવશે અને એના માટે સરકાર જ જવાબદાર રહેશે.

હીરાઉદ્યોગ ના રત્નકલાકારોની સરકાર સમક્ષ માંગણી ઃ
(૧) આર્થિક પેકેજ જાહેર કરો(૨) રત્નદીપ યોજના જાહેર કરો(૩) રત્નકલાકાર કલ્યાણ બોર્ડ ની રચના કરો(૪) આપઘાત કરતા રત્નકલાકારો ના પરિવારો ને આર્થિક મદદ કરો(૫) વ્યવસાય વેરો નાબુદ કરોઉપરોકત તમામ માંગણીઓ પૂરી કરવા મા આવે એવી માંગણી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/