fbpx
ગુજરાત

સુરતથી વલસાડ જતી ગુજરાત ક્વીન ટ્રેનમાં દરવાજા પાસે બેઠેલા માતા પુત્ર નીચે પટકાયા

ચાલુ ટ્રેનમાં ઊંઘ આવી જતાં મહિલાનું મોત, પુત્રની હાલત ગંભીર સુરતથી વલસાડ જતી ગુજરાત ક્વીનમાં દરવાજા પાસે બેઠેલા માતા પુત્ર નવસારીના અંચેલી નજીક નીચે પટકાયા હતા. ઉંઘમાં ચાલુ ટ્રેને નીચે પટકાયેલા માતા પુત્રમાંથી માતાનું મોત, પુત્રની હાલત ગંભીર છે. વલસાડ ખાતે ફરજ બજાવતા કર્મચારી પરિવાર સાથે વતન બિહારથી પરત સુરત, અને ત્યાંથી ગુજરાત ક્વીનમાં વલસાડ આવી રહ્યો હતો. ગુજરાત ક્વીન ટ્રેનમાં ભીડ હોવાના કારણે પરિવાર દરવાજા પાસે બેઠો હતો. સામ સામેના દરવાજામાં એક તરફ માતા પુત્ર અને બીજા દરવાજા પાસે પિતા પુત્રી બેઠા હતા.

પરંતું ટ્રેન સુરતથી ઉપડી બીલીમોરા પહોંચતા પતિને તેની પત્ની અને પુત્ર ગાયબ જણાયા હતા. આ માટે પતિ અને દીકરીએ ભાઈ અને માતાની શોધખોળ કરવા ટ્રેન થોભાવી હતી. પાછળના સ્ટેશનોએ તપાસ કરતા નવસારીના વેડછા અને અંચેલી વચ્ચે રેલવે ટ્રેક ઉપરથી માતા અને પુત્ર લોહીલુહાણ હાલતમાં મળ્યા હતા. અકસ્માતમાં પિન્કીદેવી સતપાલ યાદવ (ઉંમર ૨૮ વર્ષ) નું કરુણ મોત નિપજ્યુ હતું. જ્યારે પુત્રને ગંભીર હાલતમાં સુરત સિવિલ સારવાર માટે ખસેડાયો હતો. લાશની ઓળખ થયા બાદ તેમના પરિવારજનોને તેણીની લાશ સોંપવાની કામગીરી હાથ ધરી હતી. રેલવે પોલીસે અક્સ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, નવસારીની હદમાં અવારનવાર રેલવેમાંથી મુસાફરો પડી જવાની અને અકસ્માતે મોત થવાની ઘટના બનતી રહી છે. ઘણીવાર તેની ઓળખ માટે પણ લાંબો સમય નીકળી જાય છે. જાેકે, જાે ટ્રેનના દરવાજા પર મુસાફરી કરવાથી આવા અકસ્માતો બની શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/