ડભોઈ-વાઘોડિયા બ્રિજ પર અકસ્માત સર્જાય એ પહેલા સાઈન બોર્ડ મુકો ; લોકોની માંગ
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/03/File-02-Page-11-10-1140x620.jpg)
વડોદરામાં ડભોઈ-વાઘોડિયા રોડ પર નવો બ્રિજ બની રહ્યો છે. બ્રિજ નિર્માણના કારણે રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયા છે. આ ડાયવર્ઝન રાહદારીઓ માટે માથાનો દુઃખાવો બન્યા છે. જેમા કેટલાક રસ્તાઓ કાચા છે. આ ઉપરાત ડાયવર્ઝન આપેલા રસ્તા પર કોઈ પણ પ્રકારના સાઈન બોર્ડ મુકવામાં આવ્યા નથી. જેના કારણે વાહનચાલકો અટવાય છે.
કોઈ વાર તો વાહનચાલકો જે રસ્તા પરથી આવ્યા હોય તે જ રસ્તા પર ફરીને પાછા આવી જાય છે. ડાયવર્ઝનના કારણે આવી ભૂલભુલૈયા સર્જાઈ છે. જેના પગલે તરસાણા, મોરપુરા, છીપાપુરા, પ્રયાગપુરા, કરાલીપુરા અને કરાલી આ પાંચ ગામના લોકો ડાયવર્ઝનના કારણે ભારે અટવાય છે. વાહનચાલકો ડાયવર્ઝન પર સાઈન બોર્ડ મુકવા માગણી કરી રહ્યા છે. જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો ના પડે.
Recent Comments