fbpx
ગુજરાત

પાટીદારો અને ક્ષત્રિય વચ્ચે હંમેશાં આત્મીયતાનો સંબંધ રહ્યો છેઃ શક્તિસિંહ

ગુજરાત લોકસભા ચુંટણીનો જંગ હવે જામી રહ્યો છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદન બાદ સતત વિવાદ વધી રહ્યો છે. આજે રૂપાલાના વિરોધમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી યોજાઈ હતી. રાજ્યના અનેક જિલ્લાઓમાં વિરોધ સાથે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ ઉગ્ર બની હતી. હવે આ વિવાદમાં કોંગ્રેસ કૂદી છે. પરેશ ધાનાણીના નિવેદન બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. શક્તિસિહ ગોહિલે પરશોત્તમ રૂપાલા વિવાદ મુદ્દે જણાવ્યું છે કે આજે રાજકીય વ્યક્તિ તરીકે નહીં પણ સમાજના દિકરા તરીકે કહી રહ્યો છું.

સમાજની કેટલીક બહેનો દિકરીઓએ જાેહર કરવાની વાત કરી છે. મારી બહેનો દિકરીઓની લાગણીને હું સલામ કરું છું. ઇતિહાસના પાના ઉથલાવો અને જુઓ કે જાેહર ક્યારે થાય. જ્યારે સમાજનો કોઇ પણ પુરુષ લડવાની ક્ષમતામાં ન હોય ત્યારે જાેહર કરી સ્વમાનભેર પોતાના સિધ્ધાંતોને જાળવવા માટે છેલ્લો ઉપાય છે. લડવાની ક્ષમતા સમાજના બીજા લોકો પાસે હોય, સિદ્ધાંત માટે શહીદી વ્હોરવાની ક્ષમતા હોય, ત્યાં સુધી ક્યારેય બહેનોએ જાેહર કર્યો નથી. જાેહર કરવાની વાત આપણે આપણા દિમાગમાંથી કાઢી નાખવી જાેઈએ. શક્તિસિહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, ઇતિહાસ અને શાસ્ત્રોમાં કહેવાયું છે કે સૌથી મોટું પાપ એટલે ઇશ્વરે આપેલા જીવને છોડવાની વાત છે. રાજા મહારાજાઓ માત્ર ક્ષત્રિયો જ નહોતા, રાજપુતો સિવાય પણ અનેક સમાજે રાજ સત્તા ભોગવી છે.

આદિવાસી, ઠાકોર, કોળી, કારડીયા અને કેટલાક પાટીદારોએ પણ શાસન કર્યું છે. રાજ સત્તા ભોગવનાર કોઇ સમાજે અંગ્રેજાે સાથે રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો. જે શબ્દો બોલાયા તે આધાત જનક છે, તેના માટે જરૂર લડાઇ કરીએ. સવાલ અસ્મિતા અને સ્વાભિમાનનો છે, એક વ્યક્તિ દ્વારા બોલાયેલ શબ્દનો છે. એક જવાબદાર રાજકીય પક્ષે તાત્કાલિક ર્નિણય કર્યો હોત તો આ પરિસ્થિતિ ન હોત. પક્ષે ર્નિણય ન કરી પરિસ્થિતિને વધારે વણસાવી છે. તેમણે ઉમેર્યું હતું કે, રક્ષયતે ઇતિ ક્ષત્રિય, ક્ષત્રિય કોમવાદી નહીં સિધ્ધાત વાદી રહ્યા છે. તમામ વર્ગ ધર્મ જ્ઞાતીનો વિશ્વાસ આપણી પર રહ્યો તેને ટકાવી રાખવાનો છે. કેટલાક મિત્રોએ સમાજ સમાજ વિરુદ્ધ વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમને વિનંતી છે કે આ પ્રકારની ચેષ્ઠા ના કરે.

ગામાડામાં તમામ જ્ઞાતી એક પરિવારની જેમ જીવે છે. પાટીદારો અને ક્ષત્રિય વચ્ચે હંમેશાં આત્મીયતાનો સંબંધ રહ્યો છે. લગ્ન માટે વેલ જાય અને આવે ત્યારે ઉતારો પાટીદારના ઘરે હોય. જવતલીયા ભાઇ બંને અને દિકરીના મામા મોસાળ હોય. આ સંબંધોને કાળી ટીલી ન લાગે એની આપણે ચિંતા કરવાની છે. શક્તિસિંહે જણાવ્યું કે, હું હાલ રાજકારણ નથી કરતો, ભાવનાની બાબતો રાજકારણથી ઉપર છે. રાજકીય લાભ માટે કોઇને નુકસાનની વાત કરી નથી. સમાજની બહેનો દિકરીઓ જાેહરની વાત ન કરે. જાેહરની સ્થિતિ ત્યારે આવે જ્યારે તમામ માર્ગો બંધ થાય. જ્યારે પુરુષ જીવતો ત્યારે મહિલા શીયળ બચાવવા અંતિમ પગલુ જાેહરનું ભરે. જે શબ્દો બોલાયા તેનાથી તમામ સમાજને દુઃખ થયું છે. જેની સામે સંયમ પુર્વક લોકશાહી ઢબે આપણી વાત રાખીએ.

હું સામાજિક વ્યક્તિ તરીકે આંદોલનને ટેકો આપવાની તમામ સમાજનો આભાર માનું છું. બોલાયેલા શબ્દો આપણા પૂર્વજાે અને સંસ્કૃતિનું અપમાન છે. નોંધનીય છે કે, ગુજરાત લોકસભા ચુંટણીનો જંગ હવે જામી રહ્યો છે. પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બહેન દીકરીઓને જાેહરની જાહેરાત કરવી પડે તો પણ આ ભાજપનો અહંકાર ઓછો થતો નથી. ભાજપનો અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો છે. ત્યારે આ લડાઈ વ્યક્તિ સામેની નથી ભાજપની વિચાર ધારા સામે છે. તેમણે વધુમાં અમરેલીના રાજુલા જાફરાબાદ બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ને પણ આડેહાથ લીધા હતા. કોંગ્રેસ છોડી ભાજપમાં જાેડાયેલા અમરીશ ડેરને ટોણો મારતા કહ્યું કે મે બે વઢીયારાઓને ૨૦૧૯માં ધોહરે જાેડીયા હતા. જેમાંનો એક ભાગી ગયો, ને એક રહ્યો છે. આ દેશમાં રોટી માટે બેટી માટે લડતા જ શહીદ થાય છે કે પછી ક્ષત્રાણીઓ જાેહર કરતી હતી અને તમારી દીકરીને જાેહર ન કરવી પડે તે માટેની છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/