fbpx
ગુજરાત

ગુજરાતમાં ખરીફ સીઝનમાં ૨૫ થી ૨૬ લાખ હેક્ટરમાં કપાસની ખેતી થાય છેગુજરાત સરકારે કપાસના ખેડૂતો માટે બહાર પાડી ગાઈડલાઈન

ગુજરાતમાં ખરીફ સીઝનમાં આશરે ૨૫ થી ૨૬ લાખ હેક્ટરમાં કપાસની ખેતી થાય છે. કપાસનો પાક એટલે ગુજરાતના મુખ્ય પાકો માંથી એક, કપાસની ખેતીમાં ગુજરાતના ખેડૂતોનો ૮ મહિના જેટલો સમય વીતી જાય છે. કપાસના બિયારણની ખરીદી સમયે ખેડૂતો સૌથી વધુ છેતરાતા હોય છે કારણકે જો બિયારણ ખરાબ નીકળે તો આખો પાક ખરાબ જાય. કપાસનો પાક ફેલ જાય તો ખેડૂતની ૮ મહિનીની સીઝન ફેલ જાય તેથી ખેડૂતો બિયારણમાં ન છેતરાય તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા બિયારણ ખરીદવા માટેની ખાસ મોટી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. રાજ્યમાં કપાસ પાકના આગોતરા વાવેતર માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદશિર્કા જાહેર કરવામાં આવી છે.

રાજ્યના કપાસ પાકના વાવેતર માટે જરૂરી બિટી કપાસના બિયારણોનો-રાસાયણિક ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધબિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળી, સરકારી સંસ્થા વગેરે પાસેથી જ કરવઉત્પાદકનું નામ, સરનામું અને તેના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા અમાન્ય બિયારણની ખરીદી કરવી નહીંહવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સંભવિત તા. ૧૯ મી જૂનથી ચોમાસું સીઝન શરૂ થઈ શકે છે. ખેતી નિયામકની કચેરીની માર્ગદશિર્કા મુજબ કપાસ પાકના આગોતરું વાવેતર જેમને પીયતની સગવડતા હોય તે ખેડૂતો દ્વારા કરવું અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે. ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિ, પેઢી કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી.

વધુમાં જણાવ્યાનુસાર, બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને તેની મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે લેવાનો આગ્રહ રાખવો જોઈએ. રાજ્યમાં કપાસના પાક વાવેતર માટે જરૂરી બિટી કપાસના બિયારણોનો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવુ જેથી સંભવિત જોખમ નિવારી શકાય.

આ ઉપરાંત ખેતી નિયામકની કચેરી દ્વારા બિયારણ અને ખાતરનું જરૂરીયાત મુજબ જુદી-જુદી જાત અને જુદા-જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવા અનુરોધ કરવામાં આવ્યું છે. બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સીવાયના અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો નજીકના જિલ્લા ખેતીવાડી ખાતાની ઓફીસનો સંપર્ક કરવો, તેમ ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/