ગીર સોમનાથના તાલાલામાં ૨.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/06/11-1140x620.jpg)
શનિવારે બપોરે ૧૨.૧૭ વાગ્યે ગીર સોમનાથના તાલાલામાં ૨.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તાલાલાથી ૧૩ કિ.મી દુર નોંધાયુ હતુ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાથી અહીં સતત ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે. અહીં એક મહિનામાં ૧૫થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
બપોરે સવા બાર વાગ્યાની આસપાસ ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિન્દુ તાલલાથી ૧૩ કિમી દુર નોંધાયુ હતુ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાથી ગીર સોમનાથ જિલ્લામાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. રિક્ટર સ્કેલ પર ૨.૦ થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના ૮,૦૦૦ ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે, ૨.૦ થી ૨.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.
Recent Comments