વેરાવળ લોહાણા મહાજન દ્વારા બે દિવસ ના લોકસેવા નો ભવ્ય કાર્યક્રમ દરેક જ્ઞાતિ સમાજો,જાહેર જનતા માટે સરકારી, આરોગ્ય સેવા,લોન મેળો, શે ક્ષણીક, ફાયર સેફટી માર્ગદર્શન
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/06/citywatch-16-300x132-5-1024x451-9.jpg)
વેરાવળ હાલાઈ લોહાણા મહાજન દ્વારા દરેક જ્ઞાતિ સમાજો જાહેર જનતા માટે બે દિવસ નો લોકસેવા નો ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરાયેલ છે તેમાં સરકારી સેવા ના લાભો, લોન મેળો, શૈક્ષણીક, ફાયર સેફટી માર્ગદર્શન તેમજ સરકાર દ્વારા આરોગ્ય સેવા અપાય રહેલ છે તેની હોસ્પીટલ માં સેવા કંઈ રીતે મળી શકે એકજ સ્થળે અમલ્ય માર્ગદર્શન માટે આયોજન કરાયેલ છે.
વેરાવળ શ્રી હાલાઈ લોહાણા મહાજન પમુખ દીપક કકકડે જણાવેલ હતું કે તા. ૧૨ અને ૧૩ બુધ અને ગુરૂવારે સાજે ૫.૩૦ થી ૮.૩૦ લોહાણા મહાજન વાડી સટા બજાર માં દરેક જ્ઞાતિ સમાજો જાહેર જનતા માટે લોકસેવા ના વિવિધ કાર્યોનું આયોજન કરાયેલ છે જેમાં સરકારી સેવા ના લાભો ફાયર સેફટી, આરોગ્ય, શૈક્ષણીક તેમજ લોન મેળો યોજાનાર છે જેમાં ગીર સોમનાથ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પી.એમ.જે કાર્ડ,વિદ્યાર્થી સ્કોલરશીપ, આવક,જાતિ પ્રમાણપત્રો આધારકાર્ડ તેમજ સંકટમોચન સહાય યોજના સહિત સરકારી કામાનો સ્થળ ઉપર નિકાલ કરાશે ગીર સોમનાથ જીલ્લા પોલીસ વિભાગ દ્વારા ઈ.એફ.આર.આઈ, સાઈબ્રર કાઈમ થતી છેતરપીડી,મહિલા સુરક્ષા, બાળ સેવા તેમજ પોલીસ ની પ્રજાલક્ષી કામગીરી ની માહીતી અપાશે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ફાયર સેફટી એન.ઓ.સી પ્રમાણપત્ર, મેરેજ સટીફીકેટ, જન્મ મરણ દાખલા સહિત ની માહીતીઓ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આપવામાં આવશે.
વેરાવળ શહેર ની વોમ્સ, સાંગાણી,આદિત્ય બિરલા હોસ્પીટલ દ્વારા સરકારી કાર્ડ રૂા.૧૦ લાખ સુધી સારવાર કંઈ રીતે મળવી શકાશે તેમજ અકસ્માત ના દદીઓ માટે પ્રથમ ૪૮ કલાક માં ૫૦ હજાર સુધીની સારવાર વિના મુલ્યે કંઈ રીતે અપાશે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા,ધી વેરાવળ મર્કન્ટાઈલ બેંક દ્વારા નાના મોટા વેપારીઓ,લારી ગલ્લા, પાથરણા તેમજ મકાન લેવા માટે ખુબજ સરળતાથી લોન મળી રહે તેમજ મુદ્રા લોન સૌથી સસ્તા વ્યાજે કોઈપણ જામીન વગર મળી શકે તેની માહીતી આપશે જીએચસીએલ ફાઉન્ડેશન સુત્રાપાડા,ઈન્ડીયન રેડકોસ સોસાયટી દ્વારા ફરતુ દવાખાનું, આરોગ્ય સેવા, બ્લડ ડૉનેશન, મેડીકલ કેમ્પ સેવાઓના કાર્યોમાં લોકો સૌથી વધારે કંઈ રીતે લાભ લઈ શકે
સોમનાથ સંસ્કૃત યુનિ,દર્શન સ્કુલ,શીશુ મંદિર ઈન્ટરનેશનલ સ્કુલ, સૌરભ એલએલબી કોલેજ, કે.એક.સવજાણી કોમર્સ કોલેજ, માતૃશ્રી માનુબેન ભાણાભાઈ બારડ,ડો.ભરત બારડ સુત્રાપાડા, શ્રી સોમનાથ એજયુકેશન સોસાયટી દ્વારા નર્સરી થી ઉચ્ચશિક્ષણ સુધીનું શિક્ષણ માં પ્રવેશ કંઈ રીતે સરળતાથી મળે તેની જાણકારી દરક ક્ષેત્રોના નિષ્ણાંતો દ્વારા એકજ સ્થળ ઉપર આપવામાં આવશે.
વેરાવળ મા સૌ પ્રથમ વાર લોકસેવા ના વિવિધ કાર્યો બે દિવસ માટે યાજાય રહેલ છે જેમાં સરકારી યોજનાના કાર્ડ સ્થળ ઉપર કાઠી આપવામાં આવશે જેથી આ વિસ્તારના દરેકજ્ઞાતિ સમાજો જાહેર જનતા બોહળા પ્રમાણ લાભ લઈ તે માટે લોહાણા મહાજન ઉપપ્રમુખ રમેશભાઈ ભુપ્તા એ અપીલ કરેલ છે.
Recent Comments