fbpx
ગુજરાત

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથ બનાવટની પિસ્તોલ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો

બહેરામપુરા વિસ્તારમાં આવેલ બાપલાલ ઘાંચીની ચાલી પાસેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક વ્યક્તિને હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. શાહપુરનો યાકુબ ઈકબાલ બેલીમ નામનો શખ્સ ક્રાઇમ બ્રાન્ચની ટીમના હાથે ઝડપાયો છે. શોખ માટે યાકુબ રિવોલ્વર રાખતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. વિગતો એવી મળી રહીં છે કે, રથયાત્રાને લઈ પોલીસ ચેકિંગમાં હતી ત્યારે ધરપકડ કરવામાં આવી છે. એવી આશંકા હતી કે, રથયાત્રામાં સ્થિતિ બગાડવાનું આયોજન હોઈ શકે છે. અત્યારે અમદાવાદ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી દીધી છે.

હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે અમદાવાદમાં ભવ્ય રથયાત્રા યોજાવામાં. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાવાના છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ દરમિયાન કોઈ અઘટીત ઘટના ના બને તે માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં અત્યારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત રીતે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજવામાં આવતી હોય છે. જો કે, પોલીસે તે વાતનું પણ ખાસ ધ્યાન રાખો છે કે, કોઈ અસામાજિક તત્વો દ્વારા સ્થિતિને બગાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેમની સામે આકરા પગલા પણ લેવાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/