ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી વડોદરા આત્મીય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની પ્રેરક ઉપસ્થિતિ માં હુન્નર કૌશલ્ય તાલીમાર્થી બહેનો પ્રમાણ પત્ર એનાયત
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/06/IMG-20240627-WA0077-1140x620.jpg)
વડોદરા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પ્રેરક ઉપસ્થિતિ માં હજારો હાથ ને હુન્નર કૌશલ્ય નું આહવાન આજરોજ તારીખ ૨૭ જૂન ૨૦૨૪ અને ગુરુવાર ના દિવસે આત્મીય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ સંચાલિત બરોડા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહેનોને ટેલરિંગ, બ્યુટી પાર્લર ,ભરતકામ.મહેદી અને જામ ,જેલી ,શરબત,શેમ્પુની ટ્રેનીંગ બાદ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરા આઈ એમ એ ના પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશ શાહ ,આધુનિક સમાજ વ્યવસ્થાના સ્વપ્ન દ્રષ્ટા સ્વામી શ્રીમાર્ગીયસ્મિતજી સહિત બરોડા ઇન્સ્ટિટ્યૂટ ના ડાયરેક્ટર અને ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી અનિલભાઈ પટેલ, સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી તૃષાબેન અને પ્રિન્સિપાલ શ્રીમતી ઊર્મિબેન સાથે સંસ્થા ના સ્ટાફ , ટ્રસ્ટીઓ અને સંસ્થાના શુભેચ્છક એવા મહેન્દ્રભાઈ વણકર રતિલાલભાઈ પરમાર અને અન્ય મહાનુભવ ઓની ઉપસ્થિત માં વિદ્યાર્થી ઓને પ્રોત્સાહન આપ્યું હતું. સંસ્થા દ્વારા તૈયાર થયેલ વિદ્યાર્થી ઓને ૧૦૦ % જોબ પ્લેસમેન્ટ મળે એવો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો સ્વામી માર્ગીયસ્મિતજી ની માર્મિક કરતા જણાવ્યું હતું કે “બેરોજગારો ઉપર ઉપકાર નહિ પણ આવિષ્કાર કરવા ની જરૂર” ભાણા ની ભાંગવા કરતા ભવ ની ભાંગો રોજગારી ના અનેક ઉપાયો છે હુન્નર કૌશલ્ય ની તાલીમ આપો રોજગારી ઓનું સર્જન કરો નો સદેશ આપ્યો હતો
Recent Comments