fbpx
ગુજરાત

સાબરકાંઠામાં પરપ્રાંતીય યુવકની હત્યાને પગલા લેવામાં આવ્યા

અંગત અદાવતને પગલે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું સાબરકાંઠામાં પરપ્રાંતિય યુવકની હત્યાને પગલે ચકચાર મચી ગઈ છે. સાબરકાંઠાના ઈડર સ્થિત સુદ્રાસણાંમાં હત્યાનો આ બનાવ બન્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ રિવર ફાર્મ હાઉસ પર રાત્રિના સમયે હત્યાનોઆ બનાવ બન્યો હતો. જેમાં અંગત અદાવતને પગલે ઉગ્ર બોલાચાલી થતા મામલો બચક્યો હતો. બાદમાં આરોપીએ તિક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરી નાંખી હતી.

આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ફાર્મ હાઉસ ખાતે કલર કામ ચાલી રહ્યું હતું. જેમાં કારીગરો વચ્ચે અંગત અદાવતને પગલે સામાન્ય બોલાચાલી થઈ હતી. તપાસમાં મૃતક રામપુર રામસહાય ઉત્તરપ્રદેશનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી ભૂરો ઉર્ફે ગુરમેશસિંહે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને પોતાના સાથીદારને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા બાદ આરોપી પલાયન થઈ ગયો હતો. મૃતદેહને પીએમ માટે ઈડર સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાયો હતો. ફરાર આરોપીને ઝડપી લેવા એલસીબી સહિતની ટીમો તપાસ ચલાવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/