fbpx
રાષ્ટ્રીય

૨૪ કલાકમાં વધુ ૩૨૦૮૦ પોઝિટિવ કેસ નોંધાયા દેશમાં કુલ કોરોના કેસની સંખ્યા ૯૭.૩૫ લાખઃ મૃત્યુઆંક ૧.૪૧ લાખને પાર

દેશમાં કાગડોળે કોરોનાની રસીની વાટ જાેવાઈ રહી છે. જાે કે તહેવારોની સીઝન પૂરી થતા કોરોનાના કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. રોજના નવા કેસ હવે ૪૦ હજારની અંદર પહોંચ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૨,૦૮૦ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા ૯૭,૩૫,૮૫૦ પર પહોંચી ગઈ છે. જેમાંથી ૩,૭૮,૯૦૯ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે ૯૨,૧૫,૫૮૧ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.
તાજા આંકડા મુજબ દેશમાં એક જ દિવસમાં કોરોનાના ૩૬,૬૩૫ દર્દીઓ રિકવર થયા છે. જે રીતે રિકવરી રેટ સતત વધી રહ્યો છે તે એક સારો સંકેત છે. કોરોનાના કારણે એક જ દિવસમાં ૪૦૨ લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૪૧,૩૬૦ પર પહોંચી ગયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૪,૯૮,૩૬,૭૬૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. જેમાંથી ૧૦,૨૨,૭૧૨ સેમ્પલનું ગઈ કાલે એટલે કે ૮મી ડિસેમ્બરે ટેસ્ટિંગ કરાયું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/