fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના સંભાજી બ્રિગેડ સંગઠનની માંગસચીન ખેડૂત વિરોધી છે, ભારત રત્ન પાછો લેવામાં આવ

ખેડૂત આંદોલન પર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે કરેલા ટિ્‌વટ બાદ સોશિયલ મીડિયા પર લોકો તેના સમર્થનમાં અને વિરોધમાં પણ છે. મહારાષ્ટ્રના સંભાજી બ્રિગેડ નામના એક સંગઠને સચિને કરેલા ટિ્‌વટ પર વિરોધ વ્યક્ત કરીને તેની પાસેથી ભારત રત્ન પાછો લેવામાં આવે તેવી માંગણી કરી છે.

સંગઠનનુ કહેવુ છે કે, જે દેશે સચિનને ભરપૂર પ્રેમ આપ્યો છે તે સચિને દેશના ખેડૂતો સામે પોતાની પ્રતિક્રિયા આપી છે.જાે ખેડૂત ખેતી નહીં કરે તો સચિન જેવી સેલિબ્રિટી શું ખાશે.. સંભાજી બ્રિગેડનો આરોપ છે કે, ખેડૂત આંદોલનને ૭૦ દિવસ થઈ ગયા બાદ અચાનક સચિનની ઉંઘ ઉડી છે.

તેઓ રાજ્યસભામાં સાસંદ હતા ત્યારે ગૃહમાં હાજર પણ રહેતા નહોતા અને કોઈ સવાલ પણ પૂછ્યો નહોતો અને હવે અચાનક ખેડૂત આંદોલન પર બોલી રહ્યા છે.ભારત રત્ન પ્રાપ્ત કરનાર વ્યક્તિએ ખેડૂત આંદોલનનુ સમર્થન કરવુ જાેઈએ ત્યારે સચિન આંદોલનના વિરોધમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે.એટલે તેમનો ભારત રત્ન પાછો લેવો જાેઈએ.
ઉલ્લેખનીય છે કે, સચિને પોતાના ટ્‌વીટમાં કહ્યુ હતુ કે, ભારતની સ્વાયતત્તા સાથે કોઈ સમાધાન થઈ શકે નહી.દેશમાં જે પણ થઈ રહ્યુ છે તેને લઈને દેશ બહારના લોકો દર્શક બની શકે છે પણ તેમને તેમાં માથુ મારવાની જરુર નથી.ભારત માટે શું સાચુ છે તેની સમજ અહીંના નાગરિકોમાં છે અને તેઓ તેનો ઉકેલ લાવવા સક્ષમ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/