fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ ચીન સામે બાયો ચડાવી એટલે કોરોના ફેલાવ્યોઃ કૈલાશ વિજયવર્ગીય

ભારતમાં કોરોનાના કહેર પર પોતાના એક નિવેદનને લઈને ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય કોંગ્રેસના નિશાન પર આવી ગયા છે. આ નિવેદન વિશે વિજયવર્ગીયએ દેશમાં મહામારીની બીજી લહેર પાછડ પડોસી દેશ ચીનને જવાબદાર ગણાવ્યો છે.
તેમના નિવેદનની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં વિજયવર્ગીય કથિત રીતે એવું કહેતા સંભળાઈ રહ્યા છે. ‘હાલ જે કોરોનાની લહેર છે તે આવી છે કે મોકલવામાં આવી છે. તે ચર્ચાનો વિષય છે. કારણ કે દુનિયાભરમાં જાે કોઈ દેશ છે જેણે ચીનને પડકાર આપ્યો છે તો એ ભારતે આપી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી છે.’


ભાજપ મહાસચિવે કહ્યું કે હવે એ વાતને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ શું ચીનનો ‘વાયરસ વાર’ છે? તેમણે કહ્યું કે, ‘અમને તો લાગે છે કે ભારતને હેરાન કરવા માટે ચીનનો વાયરલ વાર છે. કારણ કે કોવિડ-૧૯ની બીજી લહેર ફક્ત ભારતમાં જ આવી છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, ભૂટાન અને અફગાનિસ્તાન જેવા દેશોમાં કોરોનાની બીજી લહેર નથી આવી.’
વિજયવર્ગીયએ આ નિવેદન પોતાના ગૃહનગર ઈંદૌરમાં સોમવારે એક કાર્યક્રમને સંબોધન કરતા આપ્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે શહેરના એક પરમાર્થિક ટ્રસ્ટની તરફથી લોકોને ૨૦૦ ઓક્સિજન સિલિન્ડરનું વિતરણ કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/