fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના પીએ અને પીએસની ઇડીએ ધરપકડ કરી

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ઈડી દ્વારા ગાળિયો કસાઈ રહ્યો છે. અનિલ દેશમુખના ઘરે દરોડાની કાર્યવાહી બાદ ઈડીની ટીમે મોડી રાતે તેમના પર્સનલ આસિસટન્ટ કુંદર શિંદે અને પર્સનલ સેક્રેટરી સંજીવ પલાંડેને મની લૉન્ડ્રિંગ એક્ટ હેઠળ ધરપકડી કરી છે. આ પહેલા ઈડીની ટીમે દરોડા હેઠળ આખો દિવસ અનિલ દેશમુખના નાગપુર સ્થિત ઘરની તપાસ કરી. ઈડીના અધિકારીઓએ જણાવ્યુ કે મુંબઈમાં સીબીઆઈ ઑફિસમાં લગભગ ૯ કલાક પૂછપરછ બાદ પણ અનિલ દેશમુખના બંને સહયોગી તપાસ અધિકારીઓ સાથે સહયોગ નહોતા કરી રહ્યા ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી.

ઈડીના અધિકારીઓએ જણાવ્યુ કે કુંદન શિંદે અને સંજીવ પલાંડેની ધરપકડ બાદ બંનેને શનિવારે મુંબઈની વિશેષ પીએમએલએ કોર્ટમાં હાજર કરવામાં આવશે જ્યાં ઈડી પૂછપરછ માટે તેમની કસ્ટડીની માંગ કરશે. ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે લગભગ સાડા સાત વાગે ઈડીના આઠ અધિકારીઓની એક ટીમ સીઆરપીએફના જવાનો સાથે અનિલ દેશમુખના નાગપુર સ્થિત ઘરે પહોંચી અને દરોડા શરૂ કર્યા. આ દરમિયાન કોઈને પણ ઘરમાં આવવાની મંજૂરી આપવામાં આવી નહિ અને મોડી રાત સુધી રેડ ચાલુ રહી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/