કાબુલના ગુરૂદ્વારામાં બીજી વખત તાલિબાનીઓ હથિયાર સાથે ઘુસ્યા
અંગ્રેજી અખબારને સ્થાનિક સિખ સમુદાયના અધ્યક્ષે કહ્યુ હતુ કે, મસ્જિદોમાં થયેલા બોમ્બ ધડાકામાં સેંકડો શિયા મુસ્લિમોના મોત થયા છે. જેનાથી હિન્દુઓ અને સિખ બહુ ડરેલા છે. અમે એટલુ જ ઈચ્છીએ છે કે, અહીંયાથી વહેલી તકે અમને કાઢવામાં આવે. અમે મરવા નથી માંગતા.તાલિબાની ૧૦ દિવસમાં બીજી વખત કાબુલ સ્થિત ગુરૂદ્વારામાં હથિયારો સાથે ઘુસ્યા છે. સ્થાનિક સિખ લોકોએ કહ્યુ હતુ કે, શુક્રવારે હથિયારો સાથે તેઓ અંદર આવ્યા હતા અને ચેકિંગ કર્યુ હતુ. આ દરમિયાન લોકોને ડરાવ્યા પણ હતા. આ પહેલા પણ તાલિબાનો આ ગુરૂદ્વારામાં ઘુસી ચુકયા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે તાલિબાનીઓએ દાવો કર્યો હતો કે, અહીંયા હથિયાર છુપાવવામાં આવ્યા છે અને એ બહાના હેઠળ તેમણે ચેકંગ કર્યુ હતુ. ગુરૂદ્વારાના અધ્યક્ષે તાલિબાનના વરિષ્ઠ નેતાઓને ફોન કરીને જણાવ્યુ હતુ કે, તાલિબાનીઓ ગુરૂદ્વારામાં તલાશી લઈ રહ્યા છે.
Recent Comments