આચાર્ય રામાનુજાચાર્યજી ની સૌથી મોટી પ્રતિમા ૧૪૦૦ કરોડ પ્રોજેક્ટ નું ૫ ફેબ્રુઆરી એ લોકાર્પણ કરશે પ્રધાન મંત્રી
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/01/IMG-20220123-WA0011.jpg)
હૈદરાબાદ ખાતે “ઓવેસી” ના ઘર ની નજીક જ પ્રધાનમંત્રી મોદીજી આવતા મહિને ૫ ફેબુ્રઆરીએ “દ્વિતીય મૂળ જગદ ગુરુ રામાનુજાચાર્ય ” ની સૌથી મોટી પ્રતિમા નું ઉદ્ઘાટન કરશે…આદ્ય જગદગુરુ શંકરાચાર્ય પછી બીજા મૂળ જગદગુરુ રામાનુજાચાર્ય જી છે..ત્રીજા મૂળ જગદગુરુ નીંબાકાચાર્ય જી , ચોથા મૂળ જગદગુરુ માધ્વાચાર્ય જી અને પાંચમા મૂળ જગદગુરુ શ્રી કૃપાળુ જી મહારાજ છે..૧૦૦ કરોડ માં તૈયાર થયેલી આચાર્ય રામાનુજાચાર્ય જી ની સૌથી મોટી પ્રતિમા…પૂરા પ્રોજેક્ટ ની કિંમત ૧૪૦૦ કરોડ..હૈદરાબાદ માં સ્થાપિત થઈ રહેલી આચાર્ય રામાનુજાચાર્ય ની આ પ્રતિમા દુનિયા ની બીજી સૌથી મોટી બેઠેલી પ્રતિમા છે..જેને બનાવવા માં ૯ મહિના નો સમય લાગ્યો છે..સ્વામી રામાનુજાચાર્યા ની આં વિશાળકાય પ્રતિમા નું લોકાર્પણ પીએમ મોદીજી સાહેબ દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૨ માં કરવા માં આવશે..આ પ્રતિમા ની સાથે ૧૦૮ મંદિર નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે આં સાથે આચાર્ય જી ની એક નાની પ્રતિમા પણ બનાવવા માં આવી છે જેમાં ૧૨૦ કિલો સોનું નો ઉપયોગ કરવામાં આવ્યો છે..આ જગ્યા ને સ્ટેચ્યુ ઓફ ઇકવાલિટી (statue of equality) નામ આપવામાં આવ્યું છે..આ પૂરા પ્રોજેક્ટ ને પૂરા કરવામાં ૧૪૦૦ કરોડ રૂપિયા નો ખર્ચ થયો છે આ સ્ટેચ્યુ ઓફ ઇકવાલીટી ની પૂરું શાસ્ત્રો આધારિત જ રચના કરવા માં આવી છે આં પૂરો પ્રોજેક્ટ પૂરો કરવામાં ૧૮ મહિના લાગ્યા છે.આના માટે મૂર્તિકારો એ ઘણી ડીઝાઇન તૈયાર કરી હતી..ને પછી સ્કેનિંગ પ્રક્રિયા પછી સૌથી શ્રેષ્ઠ મૂર્તિ નું વિશાળ સ્વરૂપ આપવામાં આવ્યું છે..આ પ્રતિમા ની ઊંચાઈ ૧૦૮ ફૂટ, જ્યારે પ્રતિમા માં લાગેલા ત્રિદંડમ ની ઊંચાઈ ૧૩૮ ફૂટ છે ટોટલ પ્રતિમા ની ઊંચાઈ ૨૧૬ ફૂટ છે.આચાર્ય રામાનુજાચાર્ય ની આં પ્રતિમા માં ૫ કમળ ફૂલ,૨૭ પદ્મ પીઠમ,૩૬ હાથી અને આ પ્રતિમા સુધી પહોંચવા માટે ૧૦૮ સીઢી બનાવવા માં આવી છે
Recent Comments