ઉત્તરકાશીમાં ૪.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/02/Earthquake-.jpg)
ઉતરકાશીના જિલ્લાના વિસ્તારોમાં સવારે ૫.૦૩ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન લોકો જાગી ગયા હતા. આવી સ્થિતિમાં, ઠંડીના કારણે તેઓ ઘરોની અંદર હતા. જાે કે, કેટલીક જગ્યાએ ઘર ધ્રૂજતા તે ઘરની બહાર આવી ગયા હતા. હાલ ભૂકંપનું કેન્દ્રબિંદુ જાણી શકાયું નથી. જેની તીવ્રતા ૪.૧ રિએક્ટર પર માપવામાં આવી હતી. આવી સ્થિતિમાં ભૂકંપથી અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. તમને જણાવી દઈએ કે, રિક્ટર સ્કેલ પર ૭.૦ અથવા તેનાથી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ સામાન્ય કરતા વધુ ખતરનાક માનવામાં આવે છે.
આ સ્કેલ પર ૨.૦ કે તેથી ઓછી તીવ્રતા ધરાવતો ભૂકંપ સૂક્ષ્મ ભૂકંપ કહેવાય છે. જે સામાન્ય રીતે અનુભવાતા નથી. આવી સ્થિતિમાં ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ ઘરો અને અન્ય માળખાને નુકસાન પહોંચાડી શકે છે. તે જ સમયે, ભૂકંપની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ ઝોન સીમાંત જિલ્લા ચાર અને પાંચમાં છે. આવી સ્થિતિમાં ગત વર્ષ ૧૯૯૧માં વિનાશક ભૂકંપ આવ્યો હતો અને તેમાં જાનમાલનું મોટું નુકસાન થયું હતું. જાેકે ત્યારપછી અહીંયા ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે. નોંધનીય છે કે ગત વર્ષે ઉત્તરાખંડના પિથોરાગઢ અને હિમાચલના કિન્નૌર સહિત અનેક વિસ્તારો ભૂકંપની ઝપેટમાં આવી ચૂક્યા છે. જાેકે તેમાં કોઈ મોટું નુકસાન થયું નથી. પરંતુ ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે આ વર્ષે ઉત્તરાખંડ અને હિમાચલમાં મોટા પાયે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. આમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે.
ઓગસ્ટ મહિનામાં શિમલામાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની છે. અહીં વરસાદમાં ભૂસ્ખલન થાય છે, પરંતુ આ વખતે તેમની સંખ્યા ઘણી વધારે છે.ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાેકે, આંચકા હળવા હોવાથી લોકોને તેનો ખ્યાલ નહોતો. તે જ સમયે, સમાચાર એજન્સી છદ્ગૈં અનુસાર, ભૂકંપ પૂર્વી ઉત્તરકાશીથી લગભગ ૩૯ કિમી દૂર સવારે ૫ વાગ્યે ૩ મિનિટે આવ્યો હતો. જ્યાં આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર લગભગ ૪.૧ માપવામાં આવી છે. અત્યાર સુધી ક્યાંયથી પણ જાનહાની કે જાનહાનિના અહેવાલ નથી.
Recent Comments