નાના-નાના સાબુદાણાના છે બહુ મોટા ફાયદા, જાણો કઇ બીમારીઓ કરે છે દૂર
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/02/featured_1644925103.jpg)
ઉપવાસમાં ખવાતા સાબુદાણાના ફાયદાઓ વિશે તમે જાણો છો? ઉપવાસમાં ખવાતા સાબુદાણા તમારી હેલ્થને ખુબ જ ફાયદો કરે છે. સાબુદાણા દેખાવમાં ભલે નાના હોય પણ એના ગુણ ખૂબ મોટા છે. આમ, જો તમે અઠવાડિયામાં બે-ત્રણ વાર સાબુદાણીની ખીર, ખીચડી જેવી અનેક વાનગીઓ ખાઓ છો તો તમારી હેલ્થને અનેક ફાયદો થાય છે. કહેવાય છે કે રોજ રાત્રે 7-8 સાબુદાણા તમે પલાળો છો અને સવારે એ તમે ખાઓ છો તો તમારી હેલ્થ માટે ખૂબ સારું.
- જો તમે રોજ રાત્રે 7 થી 8 સાબુદાણા પલાળો છો અને સવારે ખાઓ છો તો તમે આખો દિવસ ફ્રેશ રહો છો અને સાથે તમને ગરમીની ઋતુમાં લુ થી પણ બચો છો.
- તમને સતત પેટમાં દુખાવો રહેતો હોય અને ઝાડા થઇ ગયા હોય તો તમે સાબુદાણાની ખીર પીવો છો તો આમાંથી રાહત મળે છે. ધ્યાન રાખો કે આ ખીરમાં દૂધ નથી નાંખવાનું. આ ખીર તમારે પાણીમાં જ બનાવવાની છે.
- દરરોજ 7 થી 8 સાબુદાણા ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. સાબુદાણામાં પોટેશિયમ હોય છે જે રક્ત સંચારને સારું કરીને તેને નિયત્રિંત કરવાનું કામ કરે છે.
- રાત્રે પલાળેલા સાબુદાણા સવારે તમે રોજ પંદર દિવસ સુધી ખાઓ છો તો પેટને લગતી અનેક સમસ્યાઓ દૂર થાય છે.
- જો તમને કબજીયાતની સમસ્યા છે તો તમારે રોજ 10 જેટલા સાબુદાણા ખાવા જોઇએ.
- તમને આખા દિવસનો થાક લાગ્યો છે તો તમે 8-9 સાબુદાણા ચાવો જેથી કરીને તમારો થાક ઉતરી જાય અને તમે રિલેક્સ પણ થઇ જશો.
- તમારું વજન બહુ ઓછુ છે તો તમારે રોજ સાબુદાણા ખાવા જોઇએ. વજન વધારવા માટે સાબુદાણા તમારા માટે સૌથી બેસ્ટ છે.
Recent Comments