fbpx
રાષ્ટ્રીય

રશિયાએ યુક્રેન એરબેસ અને સૈન્ય કેમ્પ મિસાઈલોથી ઉડાવી

યૂક્રેનની સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયાએ યુદ્ધની જાહેરાત કરી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આ જાહેરાત કરી. આ બાજુ સંયુક્ત રાષ્ટ્રએ પુતિનને યુદ્ધ રોકવાની અપીલ કરી છે. ેંદ્ગ એ કહ્યું કે રશિયા પોતાના સૈનિકોને હુમલા કરતા રોકે. પુતિનની સૈન્યકાર્યવાહીના આદેશ બાદ યૂક્રેનમાં અનેક ઠેકાણે ધડાકા સંભળાયા છે. યૂક્રેનની રાજધાની કીવ પર તો ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલોથી હુમલા થયાના મીડિયા રિપોર્ટ્‌સ છે. પુતિને સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતા ધમકી પણ આપી કે કોઈ આ મામલે હસ્તક્ષેપ ન કરે, નહીં તો પરિણામ ખરાબ આવશે. રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યૂક્રેને પણ મોટો દાવો કર્યો છે. યૂક્રેનની સેનાએ કહ્યું છે કે તેમણે દુશ્મન (રશિયા)ના પાંચ પ્લેન અને હેલિકોપ્ટર્સ તોડી પાડ્યા છે. આ કાર્યવાહી પૂર્વ યૂક્રેનમાં થઈ હોવાનું કહેવાયું છે. રશિયા તરફથી દાવો કરાયો છે કે તેમણે યૂક્રેનના સૈન્ય અને હવાઈ મથકને નિશાન બનાવીને તબાહ કરી નાખ્યું છે. જ્યારે બીજી બાજુ યૂક્રેને પણ કડક તેવર દેખાડતા કહ્યું કે તે હાર માનશે નહીં. યૂક્રેનમાં મિલેટ્રી એક્શન પર રશિયાની સેનાનું પણ નિવેદન આવ્યું છે જેમાં કહેવાયું છે કે તેમણે યૂક્રેનના એરબેસ, મિલેટ્રી બેસને નિશાન બનાવ્યા છે.

વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા નથી. યૂક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું કે પુતિને પૂરી રીતે આક્રમણ કરવાનું શરૂ કરી દીધુ છે. શાંતિપૂર્ણ યૂક્રેન પર હુમલો થયો છે. આ આક્રમકતાનું યુદ્ધ છે. યૂક્રેન તેમા પોતાની રક્ષા કરશે અને જીતશે. આ બધા વચ્ચે યૂક્રેને પોતાના ત્યાં માર્શલ લો લાગૂ કરી દીધો છે. બગડતી સ્થિતિ વચ્ચે કીવ એરપોર્ટ ખાલી કરાવી દેવાયું છે. રશિયાની યુદ્ધની જાહેરાત બાદ યૂક્રેનની રાજધાની કીવમાં ધડાકા શરૂ થયાના અહેવાલ છે. રાષ્ટ્રપતિ પુતિનનું કહેવું છે કે યૂક્રેને રેડ લાઈન ક્રોસ કરી છે. અનેક દિવસોથી રશિયા અને યૂક્રેન વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. જેને લઈને યૂરોપ સહિત પશ્ચિમી દેશોએ બંને દેશોને વાતચીતના સ્તરે ઉકેલ લાવવાની અપીલ કરી હતી. આ બધા વચ્ચે રશિયાએ યૂક્રેનના બે પ્રાંતોને અલગ દેશ તરીકે માન્યતા આપી હતી. ત્યારબાદ યૂરોપ સહિત અમેરિકા અને અન્ય દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા હતા. પ્રતિબંધ છતાં રશિયાએ આજે યુદ્ધની જાહેરાત કરી દીધી છે.

ન્યૂઝ એજન્સી છહ્લઁ મુજબ રાષ્ટ્રપતિ પુતિને ઔપચારિક રીતે યુદ્ધની જાહેરાત કરી છે. આવામાં સમગ્ર દુનિયા આઘાતમાં સરી પડી છે. સંયુક્ત રાષ્ટ્રએ પુતિનને યુદ્ધ રોકવા જણાવ્યું છે. જ્યારે પુતિનનું કહેવું છે કે રશિયાનો કબજાનો કોઈ ઈરાદો નથી. રશિયાએ પોતાના સંબોધનમાં યૂક્રેનના સૈનિકોને પણ સંબોધિત કર્યા. જેમાં કહેવામાં આવ્યું કે તમારા પૂર્વજાે નાઝીઓ સાથે લડ્યા હતા. કીવ (યૂક્રેનની રાજધાની) ના નાઝીઓના ઓર્ડર ન માનો. તમારા હથિયારો હેઠા મૂકો અને ઘરે જાઓ. આ બાજુ નાટોએ પુતિનને કહ્યું છે કે આ( સૈન્ય કાર્યવાહી)નું જે પણ પરિણામ આવે, અમે તૈયાર છીએ. અમે અમારી તરફથી તમામ ર્નિણયો લીધા છે. પોતાની સ્પીચમાં પુતિને કહ્યું કે આ વિવાદ અમારા માટે જીવન મરણનો સવાલ છે.

તેમણે (યૂક્રેન) લાલ રેખા પાર કરી. તેઓ બોલ્યા કે યૂક્રેન નિયો-નાઝીઓનું સમર્થન કરી રહ્યા છે. આથી અમે સ્પેશિયલ મિલેટ્રી ઓપરેશન શરૂ કર્યું છે. રશિયાના યૂક્રેન પર હુમલાની જાહેરાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને કહ્યું કે દુનિયાની પ્રાર્થનાઓ યૂક્રેનના લોકો સાથે છે, જે રશિયન સૈનિક દળો દ્વારા અયોગ્ય હુમલાનો ભોગ બન્યા છે. રાષ્ટ્રપતિ પુતિને એક યૂર્વ નિયોજિત યુદ્ધ પસંદ કર્યું છે જે એક વિનાશકારી સાબિત થશે. રશિયાની યૂક્રેન પર સૈન્ય કાર્યવાહીના આદેશ બાદ ભારતે શાંતિની અપીલ કરી છે. ભારતનું કહેવું છે કે બંને દેશ વાતચીત દ્વારા ઉકેલ લાવે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/