fbpx
રાષ્ટ્રીય

ભારત મુશ્કેલીની સમયે શ્રીલંકાની મદદ કરવાનું ચાલુ રાખશે

મુશ્કેલીની આ ઘડીમાં ભારત શ્રીલંકા સરકારની મદદ માટે આગળ આવ્યું છે. ભારતે કહ્યું છે કે તે નેબરહુડ ફર્સ્‌ટ પોલિસી હેઠળ શ્રીલંકાને સમર્થન આપવા માટે તૈયાર છે અને ત્યાંના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તે જ સમયે સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકાના ગવર્નર અજીત નિવર્દ કરબલના દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શ્રીલંકાની સરકારે અર્થવ્યવસ્થાને મુશ્કેલીમાં જાેઈને એક સલાહકાર સમિતિની નિમણૂક કરી છે, જે દેશની વધતી જતી દેવાની કટોકટીને દૂર કરવામાં મદદ કરશે.

આવી સ્થિતિમાં શ્રીલંકાના આર્થિક સંકટ સાથે સંબંધિત તમામ અપડેટ્‌સ વાંચો. સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકાના ગવર્નર અજિત નિવર્દ કરબલને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સ્થાનિક કોર્ટે આ ર્નિણય આપ્યો છે. કરબલે આ સપ્તાહની શરૂઆતમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. કોલંબોની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટે સામાજિક કાર્યકર્તા કીર્તિ ટેનાકુન દ્વારા દાખલ કરાયેલા કેસમાં આ આદેશ આપ્યો છે. અરજદારે ૨૦૦૬ અને ૨૦૧૫ વચ્ચે સેન્ટ્રલ બેંકના ગવર્નર તરીકે કરબલના પ્રથમ કાર્યકાળ દરમિયાન કથિત અનિયમિતતાઓને ટાંકીને અરજી દાખલ કરી છે.

મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ મુજબ ૬૭ વર્ષીય કરબલે ૧૮ એપ્રિલે કોર્ટમાં હાજર થવાના છે. શ્રીલંકાની સરકારે વર્તમાન આર્થિક સંકટને પહોંચી વળવા અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે વાત કરવા માટે એક સલાહકાર સમિતિની રચના કરી છે. તેમાં અગ્રણી આર્થિક અને નાણાકીય નિષ્ણાતોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિના મીડિયા વિભાગ દ્વારા બુધવારે જાહેર કરાયેલા નિવેદન અનુસાર બહુપક્ષીય જાેડાણ અને દેવાની સ્થિરતા પરના રાષ્ટ્રપતિ સલાહકાર જૂથમાં શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના ભૂતપૂર્વ ગવર્નર અને કોમનવેલ્થ સચિવાલયના આર્થિક બાબતોના વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર ઈન્દ્રજીત કુમારસ્વામીનો સમાવેશ થાય છે. ભારતે ગુરુવારે કહ્યું હતું કે તે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને તેની આર્થિક સ્થિતિ પાટા પર લાવવામાં મદદ કરવા માટે નેબરહુડ ફર્સ્‌ટ પોલિસી હેઠળ સહકાર આપવાનું ચાલુ રાખવા તૈયાર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમારો (ભારત-શ્રીલંકા) સહયોગ સામાન્ય મુદ્દાઓ અને હિતો પર આધારિત છે અને તે તાજેતરના મહિનાઓમાં મજબૂત બન્યો છે. પાડોશી અને નજીકના મિત્ર તરીકે ભારત શ્રીલંકામાં વિકસતી આર્થિક સ્થિતિ અને અન્ય વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે શ્રીલંકાના લોકો દ્વારા સામનો કરવામાં આવી રહેલી કેટલીક આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટે ભારતે છેલ્લા ત્રણ મહિનામાં પાડોશી દેશને ૨.૫ અબજ ડોલરની સહાય પૂરી પાડી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે અનાજ અને ઈંધણની સાથે માર્ચના મધ્ય સુધી ૨,૭૦,૦૦૦ મેટ્રિક ટન ઈંધણ શ્રીલંકાને સપ્લાય કરવામાં આવ્યું હતું.શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક અને રાજકીય કટોકટી વધુ ઘેરી બની રહી છે. આવી સ્થિતિમાં સરકારે આ બધાને પહોંચી વળવા માટે પોતાની યોજનાઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. જાે કે દેશમાં ઈંધણ અને દવાઓની અછત સર્જાઈ છે, જેના કારણે લોકો સતત વિરોધ કરી રહ્યા છે. આર્થિક સંકટને દૂર કરવામાં નિષ્ફળ ગયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પર જનતાનું રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. જાે કે શ્રીલંકાની સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજપક્ષે કોઈપણ સંજાેગોમાં તેમના પદ પરથી રાજીનામું આપવાના નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/