૨૨ વર્ષ ગૃહયુદ્ધથી થયો હતો તાઇવાન દેશનો જન્મ!
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/08/File-01-Page-05-3-1140x620.jpg)
હાલના સમયમાં અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ તાઈવાનની લીધી હતી મુલાકાત. આ મુલાકાત બાદ બંને દેશો વચ્ચે તણાવમાં વધારો થયો હતો. ચીનના વિદેશમંત્રી ઝાઈ શેંગે અમેરિકાને ધમકી આપતા કહ્યું હતું કે તેને આનું પરિણામ ભોગવવું પડશે. ચીન હવે ચૂપ નહીં બેસે તેવું લાગે છે તાઈવાન ચીનના દક્ષિણપૂર્વ તટથી ૧૬૦ કિલોમીટર દૂર સ્થિત એક ટાપૂ છે. અને તેનો વિસ્તાર આશરે ૩૫,૯૮૦ વર્ગ કિલોમીટર છે. તાઈવાનની વસ્તી ૨.૩૬ કરોડ છે. અને તાઈવાનમાં મેન્ડરિન ચાઈનીઝ, મીન નાન ચાઈનીઝ અને હક્કા ભાષા બોલવામાં આવે છે. ચીનમાં રાષ્ટ્રવાદી અને ડાબેરીઓ વચ્ચે ૨૨ વર્ષ સુધી ગૃહયુદ્ધ ચાલ્યું હતું ૧૮૯૫માં જ્યારે કિંગ રાજવંશને જાપાને હરાવ્યું ત્યારે તેની સામે પણ બળવો ફાટી નીકળ્યો.
આ બળવો ૧૯૧૧માં ક્રાંતિમાં ફેરવાઈ ગયો હતો. અને તેને શિન્હાઈ રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવતું હતું. અને આના પછી ૧ જાન્યુઆરી ૧૯૧૨ના દિવસે ચીનનું નામ ‘રિપબ્લિક ઓફ ચાઇના’ રાખવામાં આવ્યું હતું. ૧૯૧૯માં સુન યાત-સેનને કુઓમિતાંગ નામની પાર્ટી બનાવી હતી. અને તે ફરીથી ચાઈનાને જાેડવાનું કામ કરતી હતી. અને તે પાર્ટીએ યુરોપ પાસે પણ મદદ માગી હતી. ઓગસ્ટ ૧૯૨૭માં, સામ્યવાદી પક્ષે પણ રાષ્ટ્રવાદી સરકાર સામે બળવો શરૂ કર્યો હતો. અને આ આના લીધે ‘રેડ આર્મી’નું ગઠન કરવામાં આવ્યું હતું.ડાબેરીઓ અને રાષ્ટ્રવાદીઓ વચ્ચેની આ લડાઈ ૧૦ વર્ષ સુધી ચાલી હતી. આ સમય દરમિયાન ચીનમાં ત્રણ રાજધાનીઓની પણ રચના કરવામાં આવી હતી. અને તેમાંથી એક બેઈજિંગ કે જેને આંતરરાષ્ટ્રીય માન્યતા પણ મળી હતી. જ્યાં પાછુ જાપાન સાથે બીજું યુદ્ધની શરૂઆત થઇ. ચીનમાં રાષ્ટ્રવાદીઓ અને ડાબેરીઓ વચ્ચેની લડાઈ છેલ્લા તબક્કા પર હતી
જ્યારે જાપાનની શાહી સેનાએ મંચુરિયા પર કબજાે કર્યો હતો. ચિયાંગ પહેલા સામ્યવાદીઓને તોડીને પોતાની પાર્ટીની સેનાને મજબૂત કરવા માંગતો હતો.ચિયાંગના આ ર્નિણયને બધાને નિરાશ કરી દીધા હતા. ૧૨ ડિસેમ્બર ૧૯૩૬ ના રોજ, ચિયાંગનું અપહરણ કરવામાં આવ્યું હતું અને સામ્યવાદી પક્ષ સાથે બળજબરીથી વાટાઘાટો કરવામાં આવી હતી. ત્યારે ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધમાં જાપાનનો પરાજય થયો અને ત્યાર પછી ચીનમાં કુઓમિન્તાંગ અને સામ્યવાદી પક્ષ વચ્ચે ગૃહયુદ્ધ ચાલુ રહ્યું હતું. અને હવે લડાઈ ચીનના મુખ્ય વિસ્તાર પર કબજાે કરવાની હતી. ચિયાંગ કાઈ-શેકની સરકારે ઉત્તર ચીનમાં સામ્યવાદી ગઢ પર તોફાન કરવાનું શરૂ કર્યું હતું.
પરંતુ સામ્યવાદીઓની વ્યૂહરચના સામે તેની સેના નબળી પડી. ૧ ઓક્ટોબર ૧૯૪૯ના દિવસે માઓ ઝેડોંગે બેઇજિંગમાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપના કરી હતી. ત્યાં સુધીમાં આશરે ૨૦ લાખ કરતા વધુ લોકો તાઈવાન નાસીને આવી ગયા હતા. બંને દેશો વચ્ચે લગભગ ૨૦ વર્ષથી કોઈ સંપર્ક, વેપાર કે રાજદ્વારી સંબંધો નહોતા.અમેરિકાએ પણ તાઈવાનને ચીનની વાસ્તવિક સરકાર તરીકે માન્યતા આપી.તાઈવાન સરકારને પણ સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ ૧૯૭૦ના દાયકામાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીને વાસ્તવિક ચીની સરકાર માનવામાં આવતી હતી.
Recent Comments