fbpx
રાષ્ટ્રીય

કાબુલની મસ્જિદમાં નમાઝ દરમ્યાન ધમાકામાં ૨૧ના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની એક મસ્જિદમાં થયેલા ધમાકામાં ઓછામાં ઓછા ૨૧ લોકોના મોત થઈ ગયા છે અને ૬૦ લોકોને ઈજા પહોંચી છે. ખૈર ખાના વિસ્તારની મસ્જિદમાં તે સમયે ધમાકો થયો જ્યારે લોકો મગરિબની નમાઝ અદા કરી રહ્યાં હતા. કાબુલ સુરક્ષા વિભાગના પ્રવક્તા ખાલિદ ઝાદરાને ધમાકાની પુષ્ટિ કરતા જણાવ્યું કે કાબુલના પીડી ૧૭માં એક મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં સુરક્ષા દળ પહોંચી ચુક્યા છે અને બધા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ધમાકામાં મસ્જિદના ઇમામ મવાલવી અમીર મોહમ્મહ કાબુલીનું પણ મોત થયું છે. તાલિબાનની પોલીસે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વિશે કંઈ માહિતી આપી નથી. તાલિબાનના એક અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા ૩૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે અથવા મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.

તો અલ ઝઝીરાએ એક અજાણ્યા અધિકારીના હવાલાથી જણાવ્યું કે મૃત્યુ પામનારની સંખ્યા ૨૧ છે અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધારો હોઈ શકે છે. નમાઝના સમયે મોટી સંખ્યામાં લોકો મસ્જિદમાં હાજર હતા. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે મૃત્યુ પામેલા લોકોમાં મસ્જિદના ઈમામ પણ સામેલ છે અને મૃત્યુ પામનારની સંખ્યા વધી શકે છે. ગુપ્તચર ટીમો ઘટના સ્થળે હાજર છે અને તપાસ કરી રહી છે. તાલિબાન સરકારના અન્ય અધિકારીઓએ જાનહાનીની સંખ્યાની પુષ્ટિ કરવા માટે કોઈ જવાબ આપ્યો નહીં. તાલિબાનના અધિકારી શરૂઆતથી અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટની હાજરીની વાત નકારી રહ્યાં છે. તેમ છતાં સીરિયા અને ઇરાકમાં પેદા થયેલ આ ખૂંખાર આતંકી સમૂહ અફઘાનિસ્તાનમાં સતત પોતાની જગ્યા બનાવી રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/