fbpx
રાષ્ટ્રીય

AAPના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ, ઘર બહાર સંબંધીઓએ ACP પર કર્યો હુમલો

એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ દિલ્હીથી આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ કરી લીધી છે. ACBએ અમાનતુલ્લાહને કરેલી પૂછપરછ બાદ શુક્રવારે તેમના ઘર અને 4 જગ્યાએ છાપેમારી કરવામાં આવી હતી. બે જગ્યાઓ પરથી ગેરકાયદેસર બંદૂક મળી આવી છે. તેની સાથે જ 24 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી છે. આ દરમિયાન ACBની ટીમ સાથે ઉપસ્થિત પોલીસબળ પર હુમલો કરવાના પણ સમાચાર સામે આવ્યા છે.પોલીસે આ સંબંધમાં 3 FIR નોંધી છે. અમાનતુલ્લાહ વિરુદ્ધ વક્ફ બોર્ડમાં ગરબડી કરવાના કેસમાં તપાસ ચાલી રહી છે. રિપોર્ટ્સ મુજબ, ACB ઓફિસમાં લોકઅપ ન હોવાના કારણે અમાનતુલ્લાહ ખાનને શુક્રવારે રાત્રે નજીકના સિવિલ લાઈન પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. આજે બપોરે 12 વાગ્યા બાદ સંબંધિત કોર્ટમાં ઉપસ્થિત થશે. ACB અમાનતુલ્લાહ ખાનને કોર્ટમાં રજૂ કર્યા બાદ કસ્ટડીની અપીલ કરશે. શુક્રવારે અમાનતુલ્લાહના બે નજીકના લોકોના આવાસો પરથી 24 લાખ રૂપિયા કેશ અને બે બંદૂક જપ્ત કરવામાં આવી હતી.

તેમાં એક બંદૂક વિદેશી છે, જેનું લાઇસન્સ નથી. ACBનું કહેવું છે કે અમાનતુલ્લાહના ઘરે શુક્રવારે છાપેમારી કરવામાં આવી હતી. તેની વિરુદ્ધ પુરાવા અને આપત્તિજનક સમગ્રીઓના આધાર પર ધરપકડ કરવામાં આવી છે. ACBની રેડ દરમિયાન આમ આદમી પાર્ટીના વોર્ડ પ્રેસિડેન્ટ અને અમાનતુલ્લાહના નજીકના કૌશર સિદ્દિકીને ત્યાંથી પણ કેશ, બંદૂક અને કારતૂસ જપ્ત કરવામાં આવી છે. કૌશરના ઘરથી 12 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રેડમાં કુલ 24 લાખ રૂપિયા રોકડ અને 2 હથિયાર અને કારતૂસ મળી આવી છે.

FIRમાં લગાવવમાં આવેલા આરોપો મુજબ, આ કેસ દિલ્હી વક્ફ બોર્ડના કામકાજમાં નાણાકીય હેરાફેરી અને અન્ય અનિયમિતતાઓ સાથે જોડાયેલો છે. અમાનતુલ્લાહ ખાન દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષના રૂપમાં કામ કરતા 32 લોકોને ગેરકાયદેસર રૂપે નિયમોનું ઉલ્લંઘન કરતા ભરતી કર્યા. વક્ફ બોર્ડના તત્કાલીન CEOએ આ પ્રકારની ગેરકાયદેસર ભરતી વિરુદ્ધ નિવેદન જાહેર કર્યું હતું. આરોપ છે કે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષના રૂપમાં અમાનતુલ્લાહ ખાને ભ્રષ્ટાચાર અને પક્ષપાત કર્યો. તેની સાથે જ ગેરકાયદેસર રૂપે દિલ્હી વક્ફ બોર્ડની કેટલીક સંપત્તિઓ ભાંડુથી આપી છે.

એવો પણ આરોપ છે કે તેણે દિલ્હી વક્ફ બોર્ડના ધનનો દુરુપયોગ કર્યો છે જેમાં દિલ્હી સરકાર પાસે સહાયતા અનુદાન સામેલ છે. પોલીસ એમ પણ જણાવ્યું છે કે અમાનતુલ્લાહ ખાનના ઘર બહાર ACPની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. ખાનના સંબંધીઓ અને અન્ય લોકોએ પોલીસબળને ઘેરી લીધું હતું. ત્યારબાદ સરકારી કાર્યમાં બધા પહોંચાડી. દક્ષિણ-પૂર્વ જિલ્લામાં ACBએ 3 FIR નોંધાવી છે. તેમ ગેરકાયદેસર હથિયારની જપ્તીના સંબંધમાં 2 FIR નોંધી છે. ત્રીજી FIR અમાનતુલ્લાહ ખાનના સંબંધીઓ દ્વારા પોલીસ ટીમ સાથે મારામારીના સંબંધમાં નોંધવામાં આવી છે.

તો અમાનતુલ્લાહ ખાનની પત્ની શાફિયાએ પોલીસ પર હુમલાની વાતને ખોટી ગણાવી છે. તેણે કહ્યું કે અમાનત સાહબના ACB ઓફિસ ગયા બાદ પોલીસ અધિકારી ઘરે પહોંચ્યા અને તપાસ કરી. આ વીડિયોમાં સ્પષ્ટ સાંભળી શકાય છે કે પોલીસ અધિકારી કહી રહ્યા છે કે, તપાસમાં કશું જ મળ્યું નથી, પરંતુ લોકતંત્રનો ચોથો સ્તંભ કહેવાતી મીડિયા ખોટા ન્યૂઝ ચલાવીને ભરમાવી રહી છે. તો અમાનતુલ્લાહે કહ્યું કે આ લોકો કહે છે કે ઉપરથી પ્રેશર છે. કોઈ પણ ફરિયાદ નાખે છે. CEO વક્ફ બોર્ડની ફરિયાદ પર એમ થઈ રહ્યું છે.કોન્ટ્રાક્ટ માટે નહીં, કાયમી સ્ટાફ માટે નિમણૂક થઈ હતી. દંગાના સમયે મારું પર્સનલ અકાઉન્ટ, રીલિફ અકાઉન્ટ બની શકતું નહોતું. મારા પહેલા 24 લોકોની ભરતી કરવામાં આવી. બધાને મેરિટ બેઝ પર લેવામાં આવ્યા. એ જ CEOએ એ લોકોને પણ રાખ્યા, જેણે ફરિયાદ કરી છે. તે 2022ની રેકોર્ડ માગણી છે જે અમે આપી. રીલિફ કમિટી 2020માં બની, FIR એ પહેલા થઈ ગઈ. ન મેં કોઈ કેસને પ્રભાવિત કર્યો, ન કંઈ ખોટું કર્યું છે. મેં માપદંડોનું પાલન કર્યું છે. મારી વિરુદ્ધ 23-24 FIR છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/