fbpx
રાષ્ટ્રીય

ભારત વિરોધી ગતિવિધિઓ સંબંધિત ઘટનાઓમાં વધારો થતા ભારતીય નાગરિકો-વિદ્યાર્થીઓને સતર્ક રહેવાની સલાહ

કેનેડામાં રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી કેનેડામાં ભારતીયો વિરુદ્ધ વધી રહેલા હેટ ક્રાઈમને લઈને જાહેર કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું છે કે કેનેડામાં ઘ્રુણા, વંશીય હિંસા અને ભારત વિરોધી ગતિવિધિઓ સંબંધિત ઘટનાઓમાં તીવ્ર વધારો થયો છે, તેથી ત્યાંના ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર કેનેડામાં ભારતના નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયેલ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે નફરતના ગુનાઓ, વંશીય હિંસા અને ભારત વિરોધી ગતિવિધિઓ સંબંધિત ઘટનાઓમાં તીવ્ર વધારો થયો છે. કેનેડામાં વિદેશ મંત્રાલય અને કેનેડામાં અમારા હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલે આ ઘટનાઓને ત્યાંના વહીવટીતંત્ર સાથે ઉઠાવી છે અને તેમને આવા ગુનાઓની તપાસ કરવા અને યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે.  કેનેડાના ટોરેન્ટોમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.

અહીં અજાણ્યા લોકોએ મંદિરની દીવાલોને નુકસાન પહોંચાડ્યું અને ખાલિસ્તાન ઝિંદાબાદ જેવી ભારતવિરોધી વાતો લખી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે કેનેડામાં આવા ગુનાઓને હજુ સુધી ન્યાય આપવામાં આવ્યા નથી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આવા ગુનાઓના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેનેડામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ અને ત્યાં પ્રવાસ/શિક્ષણ માટે જતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેનેડામાં ભારતીય નાગરિક અને વિદ્યાર્થીઓ ઓટાવામાં ભારતના કમિશન અથવા ટોરોન્ટો અને વાનકુવરના કોન્સ્યુલેટ જનરલ સંબંધિત વેબસાઇટ અથવા ‘એમએડી પોર્ટલ’ પર રજીસ્ટ્રેશન કરાવી શકો છો.  તેમાં કહેવામાં આવ્યું છે કે નોંધણી કરાવવાથી હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલને કોઈપણ જરૂરિયાત અથવા કટોકટીના કિસ્સામાં કેનેડામાં ભારતીય નાગરિકો સાથે વધુ સારી રીતે વાતચીત કરવા સક્ષમ બનાવશે.

એક દિવસ અગાઉ ભારતે કેનેડામાં કહેવાતા ખાલિસ્તાની લોકમત પર તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તે ખૂબ જ વાંધાજનક છે કે મિત્ર દેશમાં કટ્ટરપંથી અને ઉગ્રવાદી તત્વોને આવી રાજકીય પ્રેરિત પ્રવૃત્તિઓની મંજૂરી આપવામાં આવી.  વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોને જણાવ્યું હતું કે ભારતે રાજદ્વારી માધ્યમો દ્વારા કેનેડાના વહીવટીતંત્ર સાથે આ મામલો ઉઠાવ્યો છે અને કેનેડા સાથે આ મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખશે. તેમણે કહેવાતા ખાલિસ્તાની લોકમતને નકલી કવાયત ગણાવી હતી. બાગચીએ જણાવ્યું હતું કે કેનેડાએ ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાની વાત કરી છે, પરંતુ તે ખૂબ જ વાંધાજનક છે કે મિત્ર દેશમાં કટ્ટરપંથી અને ઉગ્રવાદી તત્વોને આવી રાજકીય પ્રેરિત પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી રહી છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, કેનેડાની સરકારે કહ્યું હતું કે તેઓ તેમના દેશમાં યોજાઈ રહેલા કહેવાતા જનમત સંગ્રહને માન્યતા આપતા નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/