fbpx
રાષ્ટ્રીય

બિહારના વૈશાલીમાં રોડ અકસ્માત, પૂજા કરી રહેલા લોકોને બેકાબૂ ટ્રકે કચડી નાખ્યા

બિહારના વૈશાલીમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. વૈશાલીના દેશરીમાં ભીષણ રોડ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત થયા છે. જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા હોવાની સૂચના મળી છે. ઘટના દેશરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નયાગંજ-૨૮ ની હોવાનું કહેવાય છે. દુર્ઘટનામાં ઘાયલ ચાર લોકોની સારવાર સદર હોસ્પિટલમાં થઈ રહી છે.મૃત્યુ પામેલા લોકોમાં ૭ બાળકો પણ સામેલ છે. તમામ એક જ ગામના રહેવાસી હતી. ઘટના પર પહોંચેલા ડીએમ અને એસપી આક્રોશિત લોકો સાથે વાતચીત કરી હતી. કહેવાય છે કે, મહનાર-મોહદ્દીનગર એસએચ પર બ્રહ્મસ્થાનની પાસે લોકો ભુઈયાં બાબાની પૂજા દરમિયાન નેવતન પૂજા કરી રહ્યા હતા. આ તમામની વચ્ચે એક બેકાબૂ ટ્રક લોકોને કચડતો આવી પહોંચ્યો.

આ ઘટનામાં ૧૨ લોકોના મોત થઈ ગયા, તો વળી ટ્રક ચાલક ગાડીમાં ફસાઈ ગયો છે. અમુક લોકો ટ્રકની અંદર દબાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ ઉમટી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કહેવા છે કે ટ્રક ચાલક દારુના નશામાં ટ્રક ચલાવી રહ્યો હતો. મનોજ રાયના શખ્સના ઘરે ભુંઈયા બાબાની પૂજા ચાલી રહી હતી, જેમાં લોકો ભેગા થયા હતા. મરનારા લોકોમાં બાળકો પણ સામેલ છે. ટ્રક ચાલક પણ ગાડીમાં ફસાયેલો છે. ડ્રાઈવરને લોકો બહાર કાઢવા દેવા માગતા નથી. જ્યારે પોલીસ ટ્રક ચાલકને બહાર કાઢવાના પ્રયાસ કરી રહી છે. આ તમામની વચ્ચે આ વિસ્તારના ધારાસભ્ય પણ ત્યાં પહોંચ્યા, તેમણે દુઃખ વ્યક્ત કર્યું. આક્રોશિત લોકો સાથે વાતચીત પણ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/