fbpx
રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ ભવન સામાન્ય લોકો માટે ખુલ્લું મુકાશે, ૧ ડિસેમ્બરથી અઠવાડિયામાં ૫ દિવસ

૧ ડિસેમ્બરથી, રાષ્ટ્રપતિ ભવન સામાન્ય લોકો માટે અઠવાડિયામાં પાંચ દિવસ ખુલ્લું રહેશે. સામાન્ય લોકો બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે રાષ્ટ્રપતિની મુલાકાત માટે આવી શકે છે. લોકો માટે દરરોજ પાંચ સમય નક્કી કરવામાં આવ્યા છે, જેના પર લોકો રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લઈ શકશે. આ સમય સવારે ૧૦ થી ૧૧, સવારે ૧૧ થી ૧૨, બપોરે ૧૨ થી ૧ અને બપોરે ૨ થી ૩ નો રહેશે. રાષ્ટ્રપતિ ભવન સિવાય લોકો રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમ કોમ્પ્લેક્સની પણ મુલાકાત લઈ શકશે. દર શનિવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં સવારે ૮ થી ૯ વાગ્યા સુધી લોકો ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની પણ જાેઈ શકશે. જે લોકો રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેવા ઈચ્છે છે.

રાષ્ટ્રપતિ ભવનના ત્રણ ભાગ છે, જ્યાં સામાન્ય માણસને જવાની છૂટ છે. એક રાષ્ટ્રપતિ ભવનની પ્રથમ સર્કિટ છે, જેમાં મુલાકાતીઓને રાષ્ટ્રપતિ ભવન, અશોકા હોલ, દરબાર હોલ, પુસ્તકાલય, ડ્રોઈંગ રૂમ, ઈનોવેશન વગેરેની મુખ્ય ઇમારત બતાવવામાં આવે છે. બીજા સર્કિટમાં મ્યુઝિયમનો એક ભાગ છે. આમાં તમને રાષ્ટ્રપતિ ભવનનું મ્યુઝિયમ બતાવવામાં આવ્યું છે. ત્રીજી સર્કિટ ગાર્ડન્સની છે, જેમાં મુગલ ગાર્ડન્સ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં રાષ્ટ્રપતિ ભવનના બગીચા બતાવવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં પ્રવેશ નથી. આ ઉપરાંત, આ વિભાગ થોડા સમય માટે ખુલે છે અને તે ફેબ્રુઆરી-માર્ચમાં જ ખોલવામાં આવે છે. બીજી તરફ, સામાન્ય માણસોને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ સેરેમની માટે એન્ટ્રી આપવામાં આવે છે અને તેનું બુકિંગ તે સમયે જ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/