fbpx
રાષ્ટ્રીય

આફતાબનો નાર્કો ટેસ્ટ થયો, ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે ૩૫ સવાલો દ્વારા ઘટનાનું સત્ય જાણ્યું

ગુરુવારે દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે આરોપીને આ ટેસ્ટ માટે ખાસ તૈયાર કરેલા બેડ પર સુવડાવી, તમામ ડિવાઈસ લગાવ્યા અને ઊંઘની અસરમાં આવીને લગભગ ૩૫ પ્રશ્નો પૂછ્યા. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીની પૂછપરછ કરી રહેલી ટીમે આ સવાલો સાથે જાેડાયેલા અન્ય મુદ્દાઓ પણ આરોપીઓ સાથે વાત કરી હતી. હવે આ તમામ પ્રશ્નોના જવાબ પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન આપવામાં આવેલા જવાબ સાથે મેચ થશે. આ પછી અંતિમ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ફોરેન્સિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વનિર્ધારિત કાર્યક્રમના અનુસાર, પોલીસ યોગ્ય સમયે આરોપીને લઈને હોસ્પિટલની લેબમાં પહોંચી હતી.

જ્યાં પ્રથમ તબીબોની ટીમે આરોપીની તબિયતની તપાસ કરી હતી. બધુ બરાબર હોવાના સંજાેગોમાં, તેને નાર્કો ટેસ્ટ માટે ખાસ તૈયાર કરાયેલા બેડ પર લઈ જવામાં આવ્યો, જ્યાં તેને ખાસ પ્રકારનું એનેસ્થેસિયા આપવામાં આવ્યું. જેના કારણે આરોપી અર્ધ બેભાન અવસ્થામાં આવી ગયો હતો. આ પછી ડોક્ટરોની ટીમે ટેસ્ટ સાથે સંબંધિત ડિવાઈસને તેના શરીર સાથે જાેડ્યા અને પછી એક પછી એક સવાલોનો સિલસિલો શરૂ થયો. ફોરેન્સિક ડોક્ટરોના જણાવ્યા અનુસાર આફતાબનો પોલીગ્રાફ થઈ ચૂક્યો છે. આમાં તે પહેલા પણ ગડબડ કરી ચૂક્યો છે. આવી સ્થિતિમાં નાર્કો દરમિયાન ખાસ સાવધાની રાખવી જરૂરી છે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે જાે એનેસ્થેસિયા આપતી વખતે ડોઝ ઓછો રહે તો અહીં પણ આરોપી સવાલોના જવાબમાં છેડછાડ કરી શકે છે. બીજી તરફ, જાે ડોઝ વધારે હોય, તો તેનો શ્વાસ પણ બંધ થઈ શકે છે.

આવી સ્થિતિમાં, શરીરની સહન કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કર્યા પછી ડોઝ નક્કી કરવામાં આવે છે. જાણકારોના મતે આફતાબનો જે રૂમમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે ત્યાં માત્ર નવ લોકો જ હાજર છે. રૂમ અંદરથી બંધ છે. જ્યારે બહાર પિન ડ્રોપ સાયલન્સની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. અંદરની ટીમમાં બે એનેસ્થેસિયા ટેકનિશિયન છે. એનેસ્થેસિયાના બે ડોકટરો છે. આ સિવાય પાંચ ફોરેન્સિક એક્સપર્ટ છે. આમાંના બે નિષ્ણાતો ફોરેન્સિક સાયકોલોજિસ્ટ છે. આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ પૂર્ણ થઈ ગયો છે, જેનો અંતિમ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, પૂછપરછ દરમિયાન આફતાબે કબૂલ્યું છે કે તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી. એમ પણ કહ્યું કે તેને શ્રદ્ધાની હત્યાનો કોઈ અફસોસ નથી. મીડિયા રિપોર્ટ્‌સમાં ટેસ્ટિંગ ટીમ સાથે જાેડાયેલાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આફતાબે આ હત્યા કરી છે. જે બાદ તેણે લાશના ટુકડા જંગલમાં ફેંકી દેવાની વાત કબૂલી લીધી છે. તેણે જણાવ્યું હતું કે તેણે ડેટિંગ એપ દ્વારા ઘણી છોકરીઓ સાથે મિત્રતા કરી હતી. શ્રદ્ધાની હત્યા પહેલાં અને એ પછી પણ તેના અન્ય યુવતીઓ સાથે સંબંધો હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/