fbpx
રાષ્ટ્રીય

સહમતીથી બનેલા સંબંધો માટે ઉંમર મર્યાદા ઘટાડવાનો સરકારની કોઈ યોજના નથી : સ્મૃતિ ઈરાની

કેન્દ્ર સરકારની સંમતિથી બનેલા સંબંધોમાં ઉંમર ઘટાડવાની કોઈ યોજના નથી. બુધવારે સંસદમાં સરકારે આ અંગેની માહિતી આપી હતી. વાસ્તવમાં, આ વાત રાજ્યસભામાં ઝ્રઁૈં (ઝ્રઁૈં) સાંસદ બિનોય વિશ્વમના પ્રશ્નના લેખિત જવાબમાં કહેવામાં આવી હતી. સાંસદ બિનોયે પૂછ્યું હતું કે, શું સરકાર સંમતિની ઉંમરને વર્તમાન ૧૮થી ૧૬ વર્ષ કરવા પર વિચાર કરી રહી છે? ત્યારે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આનો કોઈ પ્રશ્ન જ નથી. ્‌ર્ંૈં અનુસાર, સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો, ‘ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, ૨૦૧૨ બાળકોને યૌન શોષણ અને જાતીય ગુનાઓથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. આમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકનો સમાવેશ થાય છે. સરકારની સહમતિપૂર્ણ સંબંધો માટે સંમતિની ઉંમર ઘટાડવાની કોઈ યોજના નથી. બાળકો સામેના આવા ગુનાઓને રોકવા માટે મૃત્યુદંડ સહિત કઠોર સજાની જાેગવાઈ કરવા માટે કાયદામાં ૨૦૧૯માં વધુ સુધારો કરવામાં આવ્યો હતો. મંત્રીએ કહ્યું, “પોક્સો એક્ટ હેઠળ સેક્શન ૩૪ પહેલાથી જ બાળક દ્વારા કરવામાં આવેલા અપરાધ અને વિશેષ અદાલત દ્વારા વય નિર્ધારણના કિસ્સામાં પ્રક્રિયાની જાેગવાઈ કરે છે.”

તેમણે વધુમાં સમજાવ્યું હતું કે, “જાે કોઈ વ્યક્તિ બાળક છે કે નહીં તે અંગે સ્પેશિયલ કોર્ટ સમક્ષ કોઈપણ કાર્યવાહીમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે, તો આવા પ્રશ્નનો ર્નિણય સ્પેશિયલ કોર્ટ દ્વારા આવી વ્યક્તિની ઉંમર વિશે પોતાને સંતોષ્યા પછી કરવામાં આવશે.” મંત્રીએ કહ્યું કે બહુમતી અધિનિયમ, ૧૮૭૫, જેમાં ૧૯૯૯માં સુધારો કરવામાં આવ્યો હતો, તે બહુમતી હાંસલ કરવા માટે ૧૮ વર્ષની ઉંમરની જાેગવાઈ કરે છે. બાળ લગ્ન અંગેના અન્ય એક લેખિત પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ રાજ્યસભામાં માહિતી આપી હતી કે, “નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં બાળ લગ્નોની સંખ્યામાં વધારો થયો છે. ૨૦૧૯માં બાળલગ્નના ૫૨૩, ૨૦૨૦માં ૭૮૫ અને ૨૦૨૧માં ૧૦૫૦ કેસ નોંધાયા હતા, પરંતુ આમાં વધારો જાેવા મળે તે જરૂરી નથી. હવે લોકોમાં જાગૃતિ વધી છે, તેથી કેસ સામે આવી રહ્યા છે અને તે નોંધવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, “કેસોનું ઉચ્ચ રિપોર્ટિંગ બાળ લગ્નના કેસોની સંખ્યામાં વધારો દર્શાવે છે, પરંતુ એવું જરૂરી નથી. જાે કે, બેટી બચાવો બેટી પઢાવો (મ્મ્મ્ઁ), મહિલા હેલ્પલાઇન (૧૮૧) જેવી પહેલોને કારણે નાગરિકોમાં વધેલી જાગૃતિને કારણે આવું થઈ શકે છે.”

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/