fbpx
રાષ્ટ્રીય

ભારતમાં કોવિડના કેસોમાં બીજા સપ્તાહમાં સતત થઇ રહ્યો છે વધારો, ગુજરાતમાં પણ છે જાેખમ!..

ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે હવે ભારતમાં પણ ચિંતા વધી ગઈ છે. દેશમાં સતત બીજા સપ્તાહે કોરોનાના કેસમાં વધારો જાેવા મળ્યો છે. જાેકે કોવિડ કેસમાં વધારો ઓછો છે. રવિવારે પૂરા થયેલા સપ્તાહમાં દેશમાં કોરોનાના ૧૫૨૬ નવા કેસ નોંધાયા છે, જે અગાઉના સપ્તાહના ૧૨૧૯ કરતા ૨૫ ટકા વધુ છે. કોરોનાના કેસો જાેઈને લોકોની ચિંતા વધી ગઈ છે. આ સાથે, ર્ંદ્બૈષ્ઠિર્હ વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ ઠમ્મ્.૧.૫ના કેસ પણ ભારતમાં વધ્યા છે. આ એ જ પ્રકાર છે જેના ૪૦ ટકા કેસ અમેરિકામાં આવી રહ્યા છે. જાેકે ભારતમાં ઠમ્મ્.૧.૫ના લક્ષણો એકદમ હળવા છે. આ દરમિયાન, માર્ચ ૨૦૨૦ પછી પ્રથમ વખત, આ સપ્તાહ (ડિસેમ્બર ૨૬-જાન્યુઆરી ૧) દરમિયાન કોવિડ મૃત્યુની સંખ્યા ઘટીને છ થઈ ગઈ છે.

માર્ચ ૧૬ થી ૨૨, ૨૦૨૦માં શૂન્ય મૃત્યુ પછીનો આ સૌથી ઓછો સાપ્તાહિક આંકડો છે, જ્યારે અગાઉના સપ્તાહમાં (ડિસેમ્બર ૧૯-૨૫) માં કોરોના ચેપને કારણે ૧૬ મૃત્યુ નોંધાયા હતા. કર્ણાટકમાં કોરોનાના કેસોમાં જબરદસ્ત ઉછાળો જાેવા મળ્યો હતો, જ્યાં આ અઠવાડિયે કોવિડના ૨૭૬ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ગયા અઠવાડિયે કોરોનાના ૧૧૬ કેસ નોંધાયા હતા. આ સિવાય કોઈ પણ રાજ્યમાં કોવિડ કેસમાં ઝડપી ઉછાળો જાેવા મળ્યો નથી. જાેકે, કેટલાક રાજ્યોમાં નજીવો વધારો જાેવા મળ્યો હતો. કેરળમાં અગાઉના સપ્તાહમાં ૪૧૬ સામે ૪૬૭ કેસ નોંધાયા હતા. તે જ સમયે, તમિલનાડુમાં પણ કોરોનાના કેસોમાં વધારો જાેવા મળ્યો, જે ગયા સપ્તાહે ૪૭ કેસથી વધીને ૮૬ થઈ ગયો. પરંતુ દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના કેસમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી.

મહારાષ્ટ્રમાં આ અઠવાડિયે ૧૬૮ નવા કેસ નોંધાયા છે, જ્યારે ગયા અઠવાડિયે ૧૭૨ કેસ નોંધાયા છે. દિલ્હીમાં ૮૧ કેસ નોંધાયા છે, જે ગયા સપ્તાહે ૭૨ હતા. બીજી તરફ રાજસ્થાનમાં ગયા અઠવાડિયે કોવિડના ૮૧ કેસ ઘટીને ૪૮ થઈ ગયા છે. આ રાજ્યો સિવાય તમામ રાજ્યોમાં ૫૦થી ઓછા કોરોના કેસ નોંધાયા છે. આ દરમિયાન, ર્ંદ્બૈષ્ઠિર્હ વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ ઠમ્મ્.૧.૫ના કેસ ભારતમાં વધીને ૫ થઈ ગયા છે. છેલ્લો કેસ ગુજરાતમાં નોંધાયો હતો. ૈંહજટ્ઠર્ષ્ઠખ્ત અનુસાર, ઠમ્મ્.૧.૫ સબ-વેરિઅન્ટના ત્રણ કેસ ગુજરાતમાં, એક-એક કર્ણાટક અને રાજસ્થાનમાં નોંધાયા છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં આ સબ-વેરિઅન્ટના ૪૦ ટકાથી વધુ કેસ છે. નિષ્ણાતો કહે છે કે, ભારતમાં આ પ્રકારનો એક પણ કેસ ગંભીર નથી. પરંતુ જ્યાં સુધી વાયરસ ફેલાતો નથી ત્યાં સુધી માત્ર સાવચેત રહેવાની અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની જરૂર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/