fbpx
રાષ્ટ્રીય

સચિન પાયલટે ૧૧ એપ્રિલે જયપુરમાં શહીદ સ્મારક પર એક દિવસીય ઉપવાસની જાહેરાત કરી

સચિન પાયલટે ૧૧ એપ્રિલે જયપુરમાં શહીદ સ્મારક પર એક દિવસીય ઉપવાસની જાહેરાત કરી છે, જેમાં અગાઉની ભાજપ સરકારમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસની માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મહાત્મા જ્યોતિ બા ફૂલેની જન્મજયંતિના દિવસે તેઓ શહીદ સ્મારક પર એક દિવસ માટે ઉપવાસ કરશે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસને ભાજપ અને અન્યો કરતાં તેના પોતાના નેતાઓથી વધુ ખતરો છે. રાજસ્થાન કોંગ્રેસમાં લાગેલી અસંતોષની આગ શાંત થતી જણાતી નથી. સમય મળતાં જ કોંગ્રેસના નેતા સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું. હાલમાં પાયલટની માંગણીએ ફરી એકવાર કોંગ્રેસમાં હોબાળો મચાવ્યો છે. રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા ગેહલોત સરકાર વિરુદ્ધ નવો મોરચો ખોલ્યો છે. તેમણે વર્તમાન અશોક ગેહલોત સરકાર પર ભ્રષ્ટાચારના કેસમાં આરોપી ભાજપના નેતાઓ સામે નરમ વલણ અપનાવવાનો અને તેમને લાભ આપવાનો આરોપ લગાવ્યો છે. ડિસેમ્બર ૨૦૧૮માં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની ત્યારથી ગહેલોત અને પાયલોટ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ઝઘડો ચાલી રહ્યો છે. પાયલટના હાલના પગલા પર કોંગ્રેસમાં તણાવ વધી ગયો છે. રંધાવાએ પાઈલટ પર વળતો પ્રહાર કર્યો?… ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (છૈંઝ્રઝ્ર)ના રાજ્ય પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ પાયલોટની પદ્ધતિ પર સવાલ ઉઠાવતા તેને સંપૂર્ણપણે ખોટું ગણાવ્યું છે.

રંધાવા કહે છે કે જાે કોઈ મુદ્દો હતો તો તેણે તેની સામે ઉઠાવવો જાેઈતો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી બનેલા રંધાવાએ કહ્યું કે તેઓ ડિસેમ્બરથી અત્યાર સુધી પાયલોટ સાથે ૨૦ થી વધુ વખત મીટિંગ કરી ચૂક્યા છે, પરંતુ પાયલટે ક્યારેય આવી કોઈ વાત સામે નથી મૂકી. જાેકે, તેમણે કહ્યું કે તે પાઈલટને મળીને વાત કરશે. તેમણે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, “અમે ગજેન્દ્ર સિંહ શેખાવત વિરુદ્ધ કાર્યવાહી કરી છે, તેમણે મુખ્યમંત્રી વિરુદ્ધ માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે. બીજી વાત એ છે કે રાજસ્થાનમાં અમે જે કર્યું છે, ખેડૂતોની લોન માફી, વીજળીના બિલ, સિલિન્ડર પર સબસિડી, જૂની પેન્શન સ્કીમ પાછી લાવવા જેવી યોજનાઓ, તેમણે (પાયલોટ) એ વિશે વાત કરવી જાેઈતી હતી…. પાયલોટે શું કહ્યું?…. વાસ્તવમાં, સચિન પાયલટે ૧૧ એપ્રિલે જયપુરમાં શહીદ સ્મારક પર એક દિવસીય ઉપવાસની જાહેરાત કરી છે, જે અગાઉની ભાજપ સરકારમાં ‘ભ્રષ્ટાચાર’ની તપાસની માંગ કરવા માટે છે. આ સ્પષ્ટ થાય છે કે ગહેલોતે ભજપના નેતાઓ સામે કૂણું વલણ દાખવ્યું છે. તેમણે કહ્યું કે મહાત્મા જ્યોતિ બા ફૂલેની જન્મજયંતિના દિવસે તેઓ શહીદ સ્મારક પર એક દિવસ માટે ઉપવાસ કરશે. જ્યોતિબા ફૂલે સૈની સમુદાયમાંથી હતા, ગેહલોત પણ આ સમુદાયમાંથી આવે છે. પાયલટે તેમના નિવાસસ્થાને કહ્યું, ‘ગત વસુંધરા રાજે સરકાર દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર પર (ગેહલોત સરકાર દ્વારા) કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જ્યારે વિપક્ષમાં હતા ત્યારે અમે વચન આપ્યું હતું કે ૪૫,૦૦૦ કરોડ રૂપિયાના ખાણ કૌભાંડની તપાસ કરવામાં આવશે. ચૂંટણી આડે ૬-૭ મહિના બાકી છે ત્યારે વિરોધીઓ કોઈક મિલીભગત હોવાનો ભ્રમ ફેલાવી શકે છે. તેથી જ કોંગ્રેસના કાર્યકરોને લાગે કે અમારા કથન અને કાર્યમાં કોઈ ફરક નથી તે માટે જલદી કાર્યવાહી કરવી પડશે. કોંગ્રેસ હાઈકમાન્ડ કોની સાથે?… સચિન પાયલટે ગેહલોત સરકાર પર આરોપ લગાવ્યા બાદ પાર્ટી હાઈકમાન્ડે ગેહલોતની તરફેણમાં કહ્યું કે સરકારે રાજ્યને નેતૃત્વની સ્થિતિમાં લાવી દીધું છે. સરકાર તેના કામોના આધારે જનતા પાસેથી મત માંગશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે ગેહલોતના નેતૃત્વમાં રાજસ્થાન સરકારે મોટી સંખ્યામાં યોજનાઓ લાગુ કરી છે.

આ સાથે નવી પહેલ પણ હાથ ધરવામાં આવી છે. જયરામ રમેશના નિવેદન પરથી લાગે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ મક્કમતાથી અશોક ગેહલોતની સાથે ઉભું છે. ભાજપ પર પણ નિશાન સાધ્યું?… પાયલોટ પર ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવા પર વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડે કહ્યું કે સચિન પાયલોટે કોંગ્રેસ સરકારના ૪ વર્ષ અને ૪ મહિનાના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારના મામલાની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવવી જાેઈતી હતી. તેમણે કહ્યું હતું કે, “અગાઉના બીજેપી શાસન પર નિરંકુશ આક્ષેપો કરવાને બદલે, પાયલોટે પોતાની કોંગ્રેસ સરકારના ૪ વર્ષ અને ૪ મહિનાના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારના મામલાની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવવી જાેઈતી હતી. પરંતુ કમનસીબી છે કે તેમણે પોતાની જ સરકારના કાળા કૃત્યો પર એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. ભાજપે કોંગ્રેસના કૌભાંડો ગણ્યા?… થશે વિશ્વાસ….રાઠોડે કહ્યું કે ગેહલોત સરકારમાં ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચારનો તાંડવ છે. સારું થશે કે મુખ્યમંત્રીના કારનામાની પણ તપાસ થવી જાેઈએ. તેમણે કહ્યું કે પાયલોટે આરટીપીપી એક્ટનો ભંગ કરીને રૂ. ૧,૦૪૨ કરોડના ટેન્ડર દ્વારા અદાણી જૂથને ૫.૭૯ મિલિયન ટન કોલસો ખરીદવાની મંજૂરી આપવાના મામલે ભ્રષ્ટાચારની તપાસની માંગ કરવી જાેઈએ. રાઠોડે ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી મોંઘી વીજ ખરીદી કૌભાંડ અને જયપુર, જાેધપુર અને અજમેર ડિસ્કોમ કેસોની તપાસની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/