fbpx
રાષ્ટ્રીય

પુંછમાં થયેલા હુમલા કરનાર આતંકીઓને અપાયો હતો આશરો, હથિયારો ક્યાંથી આવ્યા? જાણો..

રાજૌરી ઃ જમ્મુ અને કાશ્મીર પોલીસે શુક્રવારે દાવો કર્યો હતો કે, ગયા અઠવાડિયે પૂંચમાં હુમલાના આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આતંકવાદીઓને આશ્રય આપવા બદલ ૬ સ્થાનિક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકવાદીઓએ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા લાવવામાં આવેલા વિસ્ફોટકો અને હથિયારોનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો. પોલીસ મહાનિર્દેશક (ડ્ઢય્ઁ) દિલબાગ સિંહે કહ્યું કે, ૨૦ એપ્રિલનો હુમલો સુનિયોજિત હુમલો હતો જે ૩ થી ૫ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ પહેલા વિસ્તારનું નિરીક્ષણ કર્યું, વિસ્તારને સમજ્યો અને પછી હુમલાની જગ્યા પસંદ કરી. ડીજીપીએ કહ્યું કે, અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે, અને હુમલામાં સામેલ આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ચાલુ છે. રાજૌરી જિલ્લાના પ્રવાસ દરમિયાન ડીજીપીએ કહ્યું, ‘૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં તે વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે, જેમણે હથિયારો, દારૂગોળો, વિસ્ફોટકો, આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો તેમજ તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમને પૂછપરછ દરમિયાન સંકેતો મળી રહ્યા છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ. પોલીસ મહાનિર્દેશક ડ્ઢય્ઁ દિલબાગ સિંહ, જેમણે બરફથી ઢંકાયેલા પીર પંજાલ પર્વતોની તળેટીમાં આવેલા દારહાલ અને દૂરના બુધ ખાનરી વિસ્તારની મુલાકાત લીધી હતી, તેમણે પણ કહ્યું કે, સ્થાનિક સમર્થન વિના આવી ઘટનાઓ શક્ય નથી. તેમણે કહ્યું, ‘આમાં એક આખું મોડ્યુલ સામે આવ્યું છે.

તેઓ તેને છેલ્લા ૨-૩ મહિનાથી મદદ કરી રહ્યા હતા. નિસાર નામનો એક સ્થાનિક વ્યક્તિ અને તેનો પરિવાર ખોરાકથી લઈને આશ્રય સુધીની તમામ મદદ કરી રહ્યો હતો. આ વિસ્ફોટકો ડ્રોન દ્વારા પાકિસ્તાનથી આવ્યા હતા. તેઓએ હથિયારો ઉપાડ્યા અને આતંકવાદીઓને પૂરા પાડ્યા. જેમાં હથિયારો, ગ્રેનેડ અને દારૂગોળો સામેલ હતો. સુરક્ષા દળો વધુ સ્થાનિક સ્તરે મદદની શોધમાં છે. ડ્ઢય્ઁએ કહ્યું, ‘તેઓ તેના પર મક્કમતાથી કામ કરશે. આતંકવાદીઓ જંગલોની નજીકની જગ્યાઓ પસંદ કરે છે, જ્યાં તેમને સ્થાનિક લોકોનું સમર્થન મળે છે, અને જંગલોમાં ભાગી જવાનો રસ્તો પણ હોય છે.મોડ્યૂલ વિશે વધુ વિગતો આપતા ડ્ઢય્ઁએ જણાવ્યું હતું કે, નિસાર લાંબા સમયથી આતંકવાદી છે. તે ૧૯૯૦ના દાયકામાં લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાની મૂળના કમાન્ડરના સહાયક તરીકે કામ કરતો હતો. તે અમારા રડાર પર હતો. અગાઉ બેથી ત્રણ વખત પૂછપરછ માટે અમે તેની અટકાયત કરી હતી. ડ્ઢય્ઁએ કહ્યું, ‘આતંકવાદીઓ પાકિસ્તાનથી આવે છે. તેઓ ઘણા મહિનાઓ સુધી અહીં રહે છે. તેઓ રિકોનિસન્સ કરે છે અને આવી પ્રવૃત્તિઓ કરે છે. અમે તેમાંથી ઘણાને અગાઉ પણ માર્યા છે. બે થી ચાર આવા આતંકવાદીઓ એક સમય દરમિયાન સક્રિય રહે છે. ચાઈનીઝ સ્ટીલ કોર બુલેટના ઉપયોગ અંગે તેમણે કહ્યું કે ધાંગરી કેસમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓ આવા હુમલા માટે વધુ સારી રીતે તૈયાર થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/