fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનને IMFએ આપ્યો ઝટકો, કહ્યું કે,”પહેલા ૮ અબજ ડોલરની વ્યવસ્થા કરે સરકાર…”

આર્થિક રીતે બરબાદ થઈ ગયેલા પાકિસ્તાનના લોકોએ મોંઘવારી અને અરાજકતાનો વધુ માર સહન કરવો પડે તેમ છે. ૈંસ્હ્લએ આર્થિક મદદ માટે પાકિસ્તાન સામે જે શરત મૂકી છે, તેને પૂરી કરવી પાકિસ્તાનના શાસકો માટે લગભગ અશક્ય છે. તેમ છતા ત્યાંની જનતાએ તેની કિંમત ચૂકવવી પડે તેમ છે. શું છે સમગ્ર મામલો… તે જાણો.. શાસકોના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને કારણે પાકિસ્તાનનું અર્થતંત્ર ખાડે ગયું છે. વિદેશી મદદ સિવાય પાકિસ્તાનનું ગાડું ચાલે તેમ નથી. ઘણા દેશોએ પાકિસ્તાનને નવું ઋણ આપવાનો ઈન્કાર કરી દીધો છે. પાકિસ્તાનની આશા હવે ૈંસ્હ્લ પર જ ટકેલી છે. જાે કે પાકિસ્તાનની સ્થિતિને જાેતાં ૈંસ્હ્લએ પણ પોતાનું બેલઆઉટ પેકેજ લાંબા સમયથી અટકાવી રાખ્યું છે. પાકિસ્તાનના શાસકોની સતત વિનંતી બાદ ૈંસ્હ્લ પેકેજ આપવા તૈયાર થયું છે, જાે કે આ માટે ૈંસ્હ્લએ શાસકો સમક્ષ એક શરત મૂકી છે. આ શરત પ્રમાણે પાકિસ્તાને આગામી સાત મહિનામાં બાહ્ય દેવું ચૂકવવું પડશે. આ માટે પાકિસ્તાનને ૮ અબજ ડોલરની વ્યવસ્થા કરવા માટે કહેવાયું છે. જાે પાકિસતાન આમ કરે તો તેને ૈંસ્હ્લ તરફથી ૬.૫ અબજ ડોલરનું બેલઆઉટ પેકેજ મળે તેમ છે. જાે કે આ શરતનું પાલન કરવું પાકિસ્તાન માટે સરળ નથી. પાકિસ્તાન પાસે વિદેશી ચલણ ભંડોળ ૪ અબજ ડોલરનું બચ્યું છે, એવામાં તે ૮ અબજ ડોલરનું દેવું ક્યાંથી ચૂકતે કરશે. બીજી મુશ્કેલી એ છે કે ૈંસ્હ્લનું બેલઆઉટ પેકેજ મેળવવા પાકસ્તાનના શાસકોએ આર્થિક મોરચે સખ્ત ર્નિણયો લેવા પડે. જાે કે પાકિસ્તાન વ્યાજદરો વધારવા સહિતના આ પગલાં પહેલાથી જ લઈ ચૂક્યું છે. તેનું જ કારણ છે કે પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને છે. લોકો જીવનજરૂરિયાતની ચીજાે માટે વલખાં મારી રહ્યા છે. જાે આર્થિક મોરચે આનાથી પણ આકરા ર્નિણય લેવાય તો હવે ગૃહયુદ્ધ ફાટી નીકળશે. ઈમરાન ખાનની ધરપકડ બાદ આ માટેનો તખ્તો પહેલાથી જ તૈયાર થઈ ચૂક્યો છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સાવ તળિયે આવી ગઈ છે. પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે ૩૦૦ રૂપિયાની નીચલી સપાટીએ પહોંચી ગયો છે. વિદેશી ચલણ ભંડોળ ૪.૫ અબજ ડોલરના તળિયાના સ્તરે પહોંચી ગયું છે. જેનાથી ફક્ત એક મહિના સુધી જ આયાત કરી શકાય તેમ છે. દેશ વિદેશી દેવના ભાર તળે દબાઈ ગયો છે. ફુગાવાનો દર ૩૫ ટકાથી વધુ છે. જેને જાેતાં રેટિંગ એજન્સી મૂડીઝે પાકિસ્તાનને દેવાળિયા થવાની ચેતવણી જાહેર કરી દીધી છે. લોકો મોંઘવારી વચ્ચે પિસાઈ રહ્યા છે, તાજેતરના હિંસક વિરોધ પ્રદર્શને પાકિસ્તાનની આફત ઓર વધારી દીધી છે. તેમ છતા પાકિસ્તાનના શાસકો કાશ્મીર રાગ ગાવાનું નથી છોડતા. દેશને આર્થિક સંકટમાંથી ઉગારવાની જગ્યાએ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પીઓકેના અલગાવવાદી નેતાઓ સાથે મુલાકાતમાં વ્યસ્ત રહે છે. બિલાવલ કાશ્મીરના લોકો માટે મગરના આંસુ સારે છે, પણ પોતાના દેશની ભૂખે મરતી જનતાની તેમને કોઈ દરકાર નથી. એવામાં હવે જાેવું એ રહેશે કે પાકિસ્તાનને આર્થિક મોરચે કોણ બચાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/