fbpx
રાષ્ટ્રીય

ત્ર્યંબકેશ્વર મંદિરમાં બિન-હિન્દુ યુવાનોના પ્રવેશ પર મહારાષ્ટ્ર સરકારની કાર્યવાહી.. FIR નોંધાઈ

૧૨ જ્યોતિર્લિંગોમાંના એક એવા નાશિકના પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિરમાં બિન-હિન્દુઓના પ્રવેશને લઈને વાતાવરણ ગરમાયું છે. બે દિવસ પહેલા આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ મહારાષ્ટ્ર સરકાર હરકતમાં આવતા પોલીસે કેસ નોંધ્યો છે. આ મામલે પોલીસમાં આઈપીસી કલમ ૨૯૫, ૫૧૧ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તેની તપાસ શરૂ કરી છે. કેટલાક આરોપીઓને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. નાશિકના પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિરમાં બિન-હિંદુઓના પ્રવેશની આ વાત ૧૩મી મેના રોજ કહેવામાં આવી છે. જે લોકો મંદિરમાં પ્રવેશ્યા હતા તેઓ મુસ્લિમ હોવાનું કહેવાય છે. આરોપ છે કે, તે ચાદર ચઢાવવાના ઈરાદાથી મંદિર પહોંચ્યા હતા. આ પછી હોબાળો પણ થયો હતો. મહારાષ્ટ્ર સરકારે પણ આ ઘટનાની નોંધ લીધી છે. આ પછી આ કેસમાં આરોપીઓ અકીલ સૈયદ, સલમાન સૈયદ, મતીન સૈયદ, સલીમ સૈયદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જીૈં્‌ને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. છડ્ઢય્ સ્તરના અધિકારીના નેતૃત્વમાં જીૈં્‌ની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જે આ ઘટનાની તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટના ૧૩મી મેની છે. ટ્રસ્ટ દ્વારા પોલીસને આપવામાં આવેલી માહિતી મુજબ ૧૦ થી ૧૨ યુવકો બળજબરીથી મંદિરમાં ઘૂસ્યા હતા. તેની પાસે લીલાં પાંદડાં અને ફૂલોનાં ગુચ્છ હતાં. તેણે ચાદર આપવાનો પ્રયત્ન કર્યો. આ પછી લગભગ ૩૦ મિનિટ સુધી આ હંગામો ચાલ્યો. આ દરમિયાન આરોપી યુવકે તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ વિડીયો વાયરલ થતા જ ખળભળાટ મચી ગયો હતો. હિંદુ સંગઠનોએ તેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/