fbpx
રાષ્ટ્રીય

નાસિકના પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિરના મુખ્ય દ્વારનું શુદ્ધિકરણ કરાયું

નાસિકના પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિરમાં મુસ્લિમ છોકરાઓએ ચાદર ચઢાવવાનો પ્રયાસ કર્યા બાદ હિન્દુ મહાસંઘના લોકોએ ગુરુવારે મંદિરના મુખ્ય દ્વારને શુદ્ધ કર્યું હતું, જે ૧૨ જ્યોતિર્લિંગોમાંના એક છે. ત્ર્યંબકેશ્વર મંદિરના મુખ્ય દ્વારને ગૌમૂત્ર અને ગંગાજળથી શુદ્ધ કરવામાં આવ્યું હતું. આ મામલામાં નાશિક ગ્રામીણ પોલીસે અન્ય ધર્મના લોકોની ભાવનાઓને ભડકાવવા બદલ ૫ લોકો સામે કેસ નોંધ્યો છે. ૧૩ મેના રોજ કેટલાક મુસ્લિમ છોકરાઓએ નાશિકના પ્રખ્યાત ત્ર્યંબકેશ્વર મંદિરમાં ચાદર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, તેમને મંદિરના મુખ્ય દ્વાર પર જ અટકાવવામાં આવ્યા હતા. મુસ્લિમ છોકરાઓ મંદિરના દરવાજે ચાદર લઈ જતા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ પછી વિવાદ વધતો ગયો. નાસિક પોલીસે આ મામલે ૫ લોકો વિરુદ્ધ કેસ પણ નોંધ્યો છે. ગુરુવારે હિન્દુ મહાસંઘના લોકોએ પણ ત્ર્યંબકેશ્વર મંદિરના મુખ્ય દ્વારને ગૌમૂત્ર અને ગંગાજળથી શુદ્ધ કર્યું હતું. તેઓ માને છે કે ત્ર્યંબકેશ્વર મંદિરમાં અન્ય ધર્મના લોકો જઈ શકતા નથી, તેથી મંદિરના મુખ્ય દ્વારને શુદ્ધ કરવું જરૂરી છે. ત્ર્યંબકેશ્વર મંદિરના મુખ્ય દ્વારને શુદ્ધ કર્યા બાદ ત્યાં પણ સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવી છે. આ સાથે મંદિરના પ્રવેશદ્વાર પર એક નવું પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે, હિંદુ સિવાય કોઈ પણ ધર્મના લોકોને મંદિરમાં પ્રવેશવાની મનાઈ છે. મુસ્લિમ છોકરાઓ ચાદર લઈને ત્ર્યંબકેશ્વર મંદિરના દરવાજા સુધી કેવી રીતે પહોંચ્યા? મહારાષ્ટ્ર સરકારે પણ આની તપાસ માટે જીૈં્‌ની રચના કરી છે. હાલ નાસિક પોલીસે આ મામલે હ્લૈંઇ નોંધીને તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/