fbpx
રાષ્ટ્રીય

જમ્મુકાશ્મીરના કિશ્તવાડમાં ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતા ૩ લોકોના મોત

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના નાગસેની તાલુકામાં આવેલા પુલર ગામમાં એક કાચુ મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા હતા. ત્રણેય સગા ભાઈઓ છે અને જન્મથી જ અંધ છે. બીજા રૂમમાં સૂઈ રહેલી પત્ની અને બે દીકરીઓ સુરક્ષિત છે. તેના પિતા અશ્વની કુમાર જમ્મુમાં મજૂર તરીકે કામ કરે છે. તેઓ શુક્રવારે જ જમ્મુથી કિશ્તવાડ જવા રવાના થયા હતા. આ ઘટના મોડી રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ બની હતી. કહેવાય છે કે દિવસભર વરસાદના કારણે રાત્રે કાચા મકાનો ધરાશાયી થયા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્રણેય યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃત્યુ પામેલા લોકોના નામ સાજન કુમાર, પપ્પુ અને રાજેશ કુમાર હોવાનું જણાવવામાં આવ્યું છે. આ પહેલા ગુરુવારે કિશ્તવાડમાં જ ઝાડ પડવાથી ગુર્જર બકરવાલ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા.ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સ્થિત ગુલમર્ગના વિશ્વ વિખ્યાત સ્કી રિસોર્ટમાં છ્‌ફ અને ઘોડેસવારોની મદદથી એક પ્રવાસી પરિવારને પોલીસે સફળતાપૂર્વક બચાવી લીધો હતો. પ્રવાસી રસ્તો ભટકી ગયો અને ગુલમર્ગના કોંગદુરી વિસ્તારમાં અટવાઈ ગયો હતો.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, તેલંગાણાનો એક પરિવાર કોંગદૂરી ગુલમર્ગ ગોંડોલા પર રાઈડ માટે ગયો હતો. ગંડોલા ફેઝ ૨ થી પરત ફરતી વખતે, પરિવાર રસ્તો ભટકી ગયો અને કાંગદુરી વિસ્તારમાં અટવાઈ ગયો. તેમાં ૩ પુખ્ત અને ૪ બાળકો હતા. માહિતી મળતાની સાથે જ પોલીસે બચાવ કામગીરી શરૂ કરી હતી. એસએચઓ ગુલમર્ગની આગેવાની હેઠળ પોલીસ સ્ટેશન ગુલમર્ગની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી જ્યાં પરિવાર એટીવી અને ઘોડેસવારોની મદદથી ફસાયેલો હતો. બારામુલા પોલીસે જણાવ્યું કે આમાં સ્થાનિક લોકોએ પણ સહયોગ આપ્યો હતો. તેમના સંયુક્ત પ્રયાસો અને અતૂટ સમર્થનથી પ્રવાસી પરિવારનું સુરક્ષિત પરત ફરવાનું સુનિશ્ચિત થયું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/