fbpx
રાષ્ટ્રીય

સરહદો પર દુશ્મનોનો સામનો કરવાને બદલે આપણે અંદરોઅંદર લડી રહ્યા છીએ:મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી)ના વડા મોહન ભાગવતે ગુરુવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશની સરહદો પર દુશ્મનો સામે આપણી તાકાત બતાવવાને બદલે આપણે અંદરોઅંદર લડી રહ્યા છીએ. નાગપુરમાં આયોજિત ‘સંઘ શિક્ષા વર્ગ’ (ૈંછજી કેડર માટે અધિકારી તાલીમ શિબિર) ના વિદાય સમારંભમાં બોલતા, ભાગવતે કહ્યું, દેશના દરેક નાગરિકે ભારતની અખંડિતતા જાળવવા માટે પ્રયત્નશીલ રહેવું જાેઈએ. મોહન ભાગવતે તેમના સંબોધનમાં કહ્યું કે વૈશ્વિક આર્થિક સંકટ અને બાદમાં કોરોના વાયરસ રોગચાળા (ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯) દરમિયાન ભારતે તમામ દેશો વચ્ચે શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે એમ પણ કહ્યું કે આપણા સમાજમાં ધર્મ અને પંથથી લઈને અનેક પ્રકારના વિવાદો છે. સંઘના વડા ભાગવતે સરહદોની સુરક્ષા વિશે કહ્યું, અમે સરહદો પર બેઠેલા દુશ્મનોને આપણી તાકાત નથી બતાવી રહ્યા, પરંતુ આપણે અંદરોઅંદર લડી રહ્યા છીએ. આ કરતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એક દેશ જેવા છીએ. તેમણે કહ્યું, દરેક વ્યક્તિએ ભારતની અખંડિતતા અને એકતા જાળવવા માટે પ્રયત્નશીલ રહેવું જાેઈએ અને જાે કોઈ ખામીઓ હોય, તો આપણે બધાએ સાથે મળીને તેના પર કામ કરવું જાેઈએ. સંઘના વડાએ કહ્યું કે કેટલાક ધર્મો ભારતની બહારથી આવ્યા હતા અને આપણે અનેક પ્રકારના સંઘર્ષો લડવા પડ્યા હતા. ભાગવતે કહ્યું, જાેકે હવે તેઓ બહાર જતા રહ્યા છે. હવે દરેક વ્યક્તિ આંતરિક છે. હજુ પણ તેમાંના કેટલાક તેમના (બહારના) પ્રભાવ હેઠળ છે અને તેઓ આપણા લોકો છે, આ સમજવું પડશે. જાે કોઈ ખામી હોય તો તેને સુધારવાની જવાબદારી આપણી છે. તેમણે કહ્યું, બહારના લોકો તો ગયા, પણ ઈસ્લામની પ્રથા અહીં સદીઓથી ચાલી રહી છે. જ્યારે કેટલાક લોકો એ મતનું પણ સમર્થન કરે છે કે ભૂતકાળમાં ભારતમાં કોઈ જાતિ ભેદભાવ ન હતો. ભાગવતે કહ્યું, કોઈએ સ્વીકારવું પડશે કે દેશમાં ઘણો અન્યાય (જાતિ વ્યવસ્થાને લગતો) છે. તે કહે છે કે અમને અમારા પૂર્વજાે પર ગર્વ છે, પરંતુ તેમની ભૂલો પણ દૂર કરવી જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/