હવામાનમાં વારંવાર ફેરફારથી છેલ્લા ૪ મહિનામાં ૨૩૩ લોકોના મોત
આ વર્ષે હવામાન દર મહિને બદલાઈ રહ્યું છે. ક્યારેક કડકડતી ઠંડી તો ક્યારેક જાેરદાર ગરમી અને વરસાદે સૌને ચોંકાવી દીધા. એટલું જ નહીં, ઘણા રાજ્યોમાં કરા પડવાથી ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ છે. હવે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (ઝ્રજીઈ)નો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધી એટલે કે ચાર મહિનામાં દેશમાં હવામાનની ઘટનાઓને કારણે ૨૩૩ લોકોના મોત થયા છે. ૯ લાખ ૫૦ હજાર હેક્ટરનો પાક નાશ પામ્યો છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે ૩૨ રાજ્યો આ ઘટનાઓથી પ્રભાવિત થયા છે. જાેકે ગયા વર્ષે આ આંકડો ૨૭ હતો. હવામાનના કારણે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ૩૦-૩૦ લોકોના મોત થયા છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં ૨૮, બિહાર અને મધ્ય પ્રદેશમાં ૨૭ લોકોના મોત થયા છે. આ વર્ષે, દિલ્હીમાં ૧૨ દિવસના ગાળામાં ઘણી વખત હવામાન બદલાયું, જ્યારે ગયા વર્ષે આ આંકડો ૨૫ દિવસનો હતો. એવું નોંધવામાં આવ્યું છે કે જાન્યુઆરી અને એપ્રિલ ૨૦૨૨ વચ્ચે, હવામાનની ઘટનાઓમાં ૮૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દરમિયાન ૩ લાખ હેક્ટરના પાકને નુકસાન થયું હતું. ગત વર્ષે વીજળી અને વાવાઝોડા જેવી ઘટનાઓ ૩૫ દિવસ સુધી જાેવા મળી હતી, જ્યારે આ વખતે આ સિલસિલો ૫૮ દિવસ સુધી ચાલુ રહ્યો છે. આમાંથી મોટાભાગની ઘટનાઓ માર્ચ અને એપ્રિલમાં સામે આવી છે. આ વર્ષે લોકોએ માત્ર ૧૫ દિવસ જ હીટવેવનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, ગત વર્ષે ૪૦ દિવસ સુધી આકાશમાંથી આગ વરસી હતી. હવામાનશાસ્ત્રીઓ આ વર્ષે ઓછી હીટવેવનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ગણાવી રહ્યા છે. હવામાન પ્રણાલીઓ ભૂમધ્ય પ્રદેશમાં ઉદ્દભવે છે. આ કારણે માર્ચ અને એપ્રિલ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં કમોસમી વરસાદ પડે છે. ગયા વર્ષે, ૩૬૫ દિવસોમાં, ૩૧૪ ભારે હવામાનની ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં ૩,૦૨૬ લોકો મૃત્યુ પામ્યા હતા. ૧.૯૬ મિલિયન હેક્ટર પાકને નુકસાન થયું હતું. સંયુક્ત રાષ્ટ્રની વિશેષ એજન્સી, વિશ્વ હવામાન વિભાગના ડેટા અનુસાર, ૧૯૭૦ થી ૨૦૨૧ વચ્ચે ભારતમાં હવામાન, આબોહવા અને પાણી સંબંધિત ઘટનાઓને કારણે ૫૭૩ આફતો આવી. આ દરમિયાન ૧,૩૮,૩૭૭ લોકોએ જીવ ગુમાવ્યા.
Recent Comments