fbpx
રાષ્ટ્રીય

અમેરિકાના ટેક્સાસમાં ૧૦,૦૦૦ લોકોએ ગુરુપૂર્ણિમા પર શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનો પાઠ કર્યો

ગુરુ પૂર્ણિમાના અવસરે સોમવારે શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનો પાઠ કરવા માટે યુએસએના ટેક્સાસમાં એલન ઇસ્ટ સેન્ટર ખાતે ૪થી ૮૪ વર્ષની વયના કુલ ૧૦,૦૦૦ લોકો ભેગા થયા હતા. આ કાર્યક્રમનું આયોજન યોગ સંગીતા અને જીય્જી ગીતા ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા પારાયણ યજ્ઞના રૂપમાં કરવામાં આવ્યું હતું. મૈસૂર સ્થિત અવધૂત દત્ત પીઠમ આશ્રમમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે ગુરુ પૂર્ણિમાના અવસર પર વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક સંત પૂજ્ય ગણપતિ સચ્ચિદાનંદ જીની હાજરીમાં ભગવદ ગીતાનું પઠન કરવામાં આવ્યું હતું. અવધૂત દત્ત પીઠમની સ્થાપના ૧૯૬૬માં સંત ગણપતિ સચ્ચિદાનંદ દ્વારા કરવામાં આવી હતી. તે એક આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કલ્યાણ સંસ્થા છે. સ્વામીજીની સાવર્ત્રિક દ્રષ્ટિ અને માનવજાતના ઉત્થાન માટે ઊંડી કરુણાએ પીઠમને માનવજાતની સુધારણા માટે વિવિધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને યોજનાઓ હાથ ધરવા પ્રેરણા આપી છે. ટેક્સાસમાં શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનો જપ કરનારા તમામ ૧૦,૦૦૦ લોકોએ તેમના ગુરુ ગણપતિ સચ્ચિદાનંદ જી સ્વામીના માર્ગદર્શન હેઠળ છેલ્લાં આઠ વર્ષમાં તેને કંઠસ્થ કરી છે. આ પહેલીવાર નથી જ્યારે સ્વામીજીએ અમેરિકામાં શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા જાપનો કાર્યક્રમ આયોજિત કર્યો હોય. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે અને અમેરિકામાં મોટા પાયે હિંદુ આધ્યાત્મિકતા ફેલાવી રહ્યા છે. ગણપતિ સચ્ચિદાનંદ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનો ઉપદેશ આપવા અને સનાતન હિન્દુ ધર્મના મૂલ્યોને ફેલાવવા માટે વિશ્વ પ્રસિદ્ધ સંત છે. તે દરમિયાન સોમવારે ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભક્તોએ વહેલી સવારે ભગવાન શિવની પૂજા કરવાનું શરૂ કર્યું અને તેમના આશીર્વાદ લીધા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/